Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ફૂલછાબ ચોકમાં રૂ.૧૦૦માં ભજીયા વિતરણઃ ફંડફાળો લેવાતો નથી

રાજકોટઃ રમજાન માસ અને પરસોતમ માસ દરિમયાન રાહત દર રૂ.૧૦૦માં ભજીયાનું વિતરણ ફુલછાબ ચોક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવે છે. આ એક રોજેદાર અને ઉપવાસીઓના આર્શિવાદ અને દુવા લેવા માટે જ આયોજન કર્યું છે, જેમાં કોઈપણ જાતના ફંડ કે ફાળો લેવામાં આવતો નથી. તેમ યાદીમાં જણાવાયું છે. આ પ્રસંગે અધિક પોલીસ કમિશ્નર ડો.કરણરાજ વાઘેલા, બલરામ મીના, પ્ર.નગરના પીઆઈ ભરતભાઈ કટારીયા તથા હેડ જમાદાર મોહસીનખાન અને સમગ્ર પોલીસ સ્ટાફ ભજીયા સ્ટોલ (ફુલછાબ ે) ખાતે મુલાકાત લઈ ભજીયા વિતરણ કરેલ. લોઈડભાઈ ઉર્ફે કાળુભાઈ કાસમભાઈને અભિનંદન પાઠવ્યા હતા.(૩૦.૮)

(3:43 pm IST)