Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

સાંઈ રમેશલાલ મંસદસાહેબે પ્રભુધામ તરફ કર્યુ પ્રયાણ

ગુરૂદેવના દુઃખદ અવસાનથી સમસ્ત સીંધી સમાજમાં ઉંડા શોકનું મોજુ : રવિવારે મુખ્ય દરબાર સાહીબ 'ગુરૂ જો દ્વાર' ખાતે અંતિમદર્શન

રાજકોટઃ. સીંધી સમાજના પ.પૂ. ગુરૂદેવ શ્રીમાન સાંઈ રમેશલાલ મંસદ સાહેબે આજે પ્રભુધામ તરફ પ્રયાણ કરતા સીંધી સમાજે ભારે આંચકો અનુભવ્યો છે. તેમના વિશાળ અનુયાયી વર્ગમાં ઉંડી આઘાતની લાગણી ફેલાય છે. પરલોક નિવાસી સાંઈ રમેશલાલ મંસદ સાહેબના અંતિમ દર્શન રવિવારે તા. ૧૦ ના રોજ મુખ્ય દરબાર સાહીબ શ્રી 'ગુરૂ જો દ્વાર' ગાયકવાડી જંકશન ખાતે થઈ શકશે.

સીંધી સમાજના પરમ પૂ. ગુરૂદેવનુ જીવન પરોપકારથી તરબતર રહ્યુ હતું. અત્યંત સરળ અને મિલનસાર સ્વભાવના કારણે અનુયાયીઓના હૃદયમાં તેમનુ અનેરૂ સ્થાન હતુ. આજે તેમના પરલોકગમનથી સમગ્ર સીંર્ેધી સમાજમાં શોકનું મોજુ ફેલાયુ છે.

 

(3:35 pm IST)