Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કર્ફયુનું કડક પાલન કરાવવામાં જનતા સહકાર આપેઃ ખોટા બહાના ધરનારા લોકો સામે કડક કાર્યવાહી થશે

સતત તંત્રને સહકાર આપનાર જનતાનો આભાર માનતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અને ડીસીપી મનોહરસિંહ જાડેજાઃ નિયમોનું કડક પાલન કરવા વધુ એકવાર અનુરોધ

રાજકોટ તા. ૮: કોરોના વાયરસનું સંક્રમણ ખુબ ફેલાયું હોવાથી ગુજરાત સરકાર દ્વારા ૩૬ શહેરમાં રાત્રી કર્ફયુ ઉપરાંત ના નિયંત્રણો લાદી તારીખ ૨૮/૦૪ થી ૦૫/૦૫ સુધી આંશીક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આ મુદ્દત બાદમાં વધારવામાં આવી છે. રાજકોટમાં પણ રાત્રી કર્ફયુુ અમલમાં છે. પરંતુ તેનું કડક પાલન કરાવતી વખતે લોકો અલગ અલઅગ બહાના આગળ ધરી દેતાંહોય છે. કોરોના સામેની લડાઇમાં જાહેર જનતાનો પુરતો સહકાર મળે તે અત્યંત જરૂરી છે. તેમ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને ડીસીપીશ્રી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું છે.

સાંજે ૦૮:૦૦ વાગ્યા પછી રાત્રી કર્ફ્યુનું પાલન કરાવવું અતિ આવશ્યક છે પરતું રાત્રીના ૦૮:૦૦ પછી પણ લોકો રસ્તા પર અવર-જવર કરતાં હોય છે જે બાબતે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાંઆવાતા તેઓ દુકાન બંધ કરવામાં મોડું થઈ ગયું, કરીયાણું-દૂધ લેવા ગયો હતો, સબંધીને ત્યાં ગયો હતો વગેરે બહાના કાઢી નિયમોનું ઉલ્લંઘન કરે છે જે જાહેરનામાના અમલમાં મુશ્કેલી ઊભી કરે છે જેથી હવે પછી રાત્રી-કરફ્યુ દરમિયાન બિન-જરૂરી બહાર ફરતા લોકો પર કડક કાર્યવાહી કરી તેઓ પર જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવશે. જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુના દુકાનદારોએ કર્ફયુ સમય પહેલા ઘરે પહોચી જાય તે રીતે દુકાન બંધ કરવાની રહેશે અને રાજકોટ શહેરની જનતાને પણ પોતાના રહેણાંક મકાનની બહાર નીકળવું નહી તેમજ કોઈપણ માર્ગ, જાહેર રાહદારી રસ્તાઓ, રાજમાર્ગો, શેરીઓ, ગલીઓ, પેટા ગલીઓમાં તથા જાહેર જગ્યાઓ ઉપર ઊભા રહેવું નહી, રખડવું નહી અથવા પગપાળા કે વાહનો મારફતે હરવું-ફરવું નહી.

હાલમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધુ ફેલાય નહી તે માટે અને સરકારશ્રી દ્વારા બનાવેલ નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ ડીપાર્ટમેન્ટ ની ખુબ જ મહત્વની ફરજ છે. રાજકોટ શહેરની જનતાએ કોરોના સામેની લડાઇમાં શહેર પોલીસને ખુબજ સાથ સહકાર એ માટે પોલીસ જનતાનો આભાર વ્યકત કરે છે. ભવિષ્યમાં પણ જનતા પોલીસ તંત્રને સહકાર આપે તેવો અનુરોધ કરાયો છે.

(4:12 pm IST)