Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રેલનગરના એસબીઆઈ એટીએમમાં મહિનાઓથી ધાંધીયા : ગ્રાહકોને હાલાકી

રાજકોટ, તા. ૮ : રાજકોટના અતિ વિકસીત રેલનગર, સાંઈબાબા સોસાયટી, સંતોષીનગર સહિત અડધો ડઝનથી વધુ સોસાયટીઓ માટે કહેવાતી સુવિધારૂપ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રેલનગર મેઈન રોડ પર આવેલા એટીએમમાં છેલ્લા છએક મહિનાથી ધાંધીયા ચાલી રહ્યા છે. એટીએમનું એરકન્ડીશનર બંધ હાલતમાં હોય છે. એટલુ જ નહિં મહિને મહિને એટીએમ મશીન પણ બંધ હાલતમાં જોવા મળે છે. આ વિસ્તારના અસંખ્ય એકાઉન્ટધારકોને આ કારણે ભારે હાલાકી ભોગવવી પડતી હોવાની ફરીયાદો ઉઠી છે. ટોલ ફ્રી નંબર ઉપર અનેક વખત થયેલી ફરીયાદો બહેરા કાને અથડાઈને પાછી પડતી હોવાનો દેકારો ગ્રાહકોમાં ઉઠ્યો છે. આ વિશે બેંકના સત્તાવાળાઓ તાકીદે યોગ્ય કરે તેવી લાગણી અને માંગણી ઉઠી છે.

(3:39 pm IST)