Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સપ્તસુર સંગીત વિદ્યાલયનું ઝળહળતુ પરિણામ

બૃહદ ગુજરાત સંગીત સમિતિ દ્વારા ડીસેમ્બર ૨૦૧૮ ની સાલ માટે ઓર્ગન, ગાયનની લેવાયેલ પરીક્ષાઓમાં પુજીત રૂપાણી ટ્રસ્ટના સપ્તસુર સંગીત વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ પરીક્ષ આપી હતી. જેના પરીણામો જાહેર થતા ઓર્ગન, ગાયન, પ્રારંભિક પ્રવેશિકા પ્રથમમાં ગોસલિયા નિલ અમિતભાઇ તથા જોટાંગીયા તીર્થ અજયભાઇ તેમજ ઓર્ગન, ગાયન, પ્રારંભિક પૂર્ણમાં દેસાઇ નંદિની મિતુલભાઇ, ઓર્ગન- પ્રારંભિકમાં કણજારીયા યશ રમેશભાઇ, ઓર્ગન-ગાયન-પ્રારંભિકમાં વાઘેલા દિયા કલ્પેશભાઇએ વિશેષ યોગ્યતા સાથે ઉતીર્ણ થઇ સંસ્થાનું ગૌરવ વધારેલ છે. ઉલ્લેખનીય છે કે ૪-આફ્રિકા કોલોની, અમૃતા સોસાયટી મેઇન રોડ પર આવેલ સપ્તસુર સંગીત વિદ્યાલયમાં દરરોજ સાંજે ૪.૪૫ થી ૭.૪૫ દરમિયાન વિવિધ વાદ્યો, કથ્થક, નૃત્ય, ગાયન સહીતની તાલીમ મામુલી દરે આપવામાં આવે છે. જેનું સંચાલન ટ્રસ્ટી શ્રીમતી અંજલીબેન રૂપાણી અને અમિનેષભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સરોજબેન આચાર્ય તથા શિતલબેન સુરાણી સંભાણી રહ્યા છે.

(3:34 pm IST)