Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ન્યુ સાગર સોસાયટીમાં હસમુખભાઇ રાઠોડનો ગળાફાંસો ખાઇ આપઘાત

એકલવાયુ જીવન ગાળતા કડીયા યુવાને માનસીક બીમારીથી કંટાળી પગલુ ભર્યુ

રાજકોટ તા. ૮ :..કોઠારીયા રોડ પર ન્યુ સાગર સોસાયટીમાં એકલવાયુ જીવન ગાળતા કડીયા યુવાને માનસીક બીમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ કોઠારીયા મેઇન રોડ નંદા હોલ સામે ન્યુ સાગર સોસાયટીમાં રહેતા હસમુખભાઇ પરસોતમભાઇ રાઠોડ (ઉ.૪૮) એ પોતાના  ઘરે દોરી પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તેનો મોટો ભાઇ ઘરે આવ્યો ત્યારે ડેલી બંધ હોઇ તેણે ખખડાવતા હસમુખભાઇએ ન ખોલતા તેણે બાજુના ઘરમાંથી પ્રવેશ કરી રૂમમાં હસમુખભાઇ લટકતી હાલતમાં જોવા મળ્યા હતાં. બાદ તેણે જાણ કરતા ૧૦૮ ના તબીબે તપાસ કરતા તેનું મોત નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બાદ ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. હીરેનભાઇએ તપાસ આદરી હતી. મૃતક હસમુખભાઇ ત્રણ ભાઇમાં નાના હતા તે કડીયા કામ કરતા હતાં. અને ઘણા સમય પહેલા તેના છૂટાછેડા થયા બાદ એકલા રહેતા હતાં. તેને માનસીક બીમારી હોઇ, તેથી કંટાળી જઇ તેણે આ પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું.

(2:46 pm IST)