Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ગતરાત્રે રાજકોટના મેયર બીનાબેન આચાર્યના માતુશ્રી પડી જતા સ્ટર્લિંગમાં સફળ સર્જરી : એક અઠવાડીયુ હોસ્પિટલમાં રહેવું પડશે

થાપાનો ગોળો ભાંગી ગયાનું નિદાન થતા ડો.રૂપેશ મહેતાએ સર્જરી કરી હતી.

રાજકોટ : રાજકોટના મેયર બીનાબેન આચાર્યના માતુશ્રી ગત રાત્રે આકસ્મિક પડી જતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી તેઓને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓની સફળ સર્જરી કરાઈ હતી .

  આ અંગે મળતી વિગત મુજબ મેયર બીનાબેન આચાર્યના માતુશ્રી ઈન્દિરાબેન યાજ્ઞિક (ઉ.વ.૮૬) બીનાબેનના ન્યારી-૧ ડેમ રોડ સ્થિત જે.બી.વિલા બંગલો ખાતે આકસ્મિક રીતે પડી જતા બીનાબેન અને તેમના પતિદેવ જયેન્દ્રભાઇ આચાર્યએ તેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલએ ખસેડાયા હતા જ્યાં આગળ થાપાનો ગોળો ભાંગી ગયાનું નિદાન થતા ડો.રૂપેશ મહેતાએ સર્જરી કરી હતી.

  ઓપરેશન સફળ રહ્યું છે અને હવે તેમના મતુશ્રીની તબિયત સારી છે છતાં હજુ એકાદ સપ્તાહ હોસ્પિટલાઇઝ રહેવું પડશે.

(9:45 pm IST)