Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

એસીપી દિયોરા અને પીઆઇ ઠાકરની ટીમની ફલેગ માર્ચઃ જો જો ભીડ ન થાય

રાજકોટઃ શહેરમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજાની દેખરેખ હેઠળ શહેરના તમામ પોલીસ મથકના ઇન્પેકટર્સ અને બ્રાંચના ઇન્સપેકટર્સ તથા તેમની ટીમો સતત પેટ્રોલીંગ, ચેકીંગ કરી રહ્યા છે. આજે સવારે ડીસીપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં એસીપી પી. કે. દિયોરા, યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકર અને સ્ટાફ તથા સર્વેલન્સ પીએસઆઇ, દૂર્ગાશકિતની ટીમ અને બીટ ઇન્ચાર્જની ટીમ તેમજ પેટ્રોલીંગ ટીમે મળી યુનિવર્સિટી પોલીસ મથકના વિસ્તારોમાં ફલેગ માર્ચ યોજી હતી. આજે હનુમાન જયંતિ હોઇ તે અનુસંધાને મંદિરો ખાતે બીનજરૂરી ભીડ એકત્રીત ન થાય તે માટે ખાસ સુચનાઓ અપાઇ હતી.

(4:08 pm IST)