Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રામકૃષ્ણ આશ્રમ દ્વારા ૯૩૬ પરિવારોને કીટ વિતરણ

રાજકોટઃ રામકૃષ્ણ આશ્રમ-રાજકોટ દ્વારા કોરોના રાહત કામગીરીના પગલે એક અઠવાડિયામાં રાજકોટ, અમદાવાદ, ભુજ, માંડવી ના ૯૩૬ પરિવારોને જીવનજરૂરી કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.

 રામકૃષ્ણ આશ્રમ ,રાજકોટ દ્વારા ૩૧ માર્ચથી સાત એપ્રિલ સુધીમાં કુલ ૪,૦૫૨ કિલો ચોખા,૭૮૫ કિલો દ્યઉં,૨૭૩૭ કિલો લોટ,૧૧૩૬ કિલો દાળ, ૯૩૬ લીટર ખાદ્ય તેલ,૧૭૬૨ કિલો બટેટા,૯૦૮ કિલો ડુંગળી,૭૩૬ કિલો ખાંડ,૩૫૨ કિલો મરી મસાલા, ૧૫૨.૭૫ કિલો ચાની ભૂકી,૬૧૧ કિલો મીઠું,૫૭૯ પેકેટ બિસ્કીટ,૯૭૯ નંગ સાબુની ગોટી જેવી આવશ્યક ચીજવસ્તુઓની કીટનું કુલ ૯૩૬ પરિવારોમાં રાજકોટના પારેવાડા, શિવપરા ઝુંપડપટ્ટી, રૈયા ચોકડી વિસ્તાર, કલ્યાણ સોસાયટી પાસેનો વિસ્તાર, અમદાવાદના ભાડજ અને જમાલપુર,ભુજના રામદેવનગર અને માંડવી પાસેના બિદડા ગામમાં રહેતા ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દેશ વિદેશના વિવિધ કેન્દ્રો દ્વારા પરંપરા પ્રમાણે મોટાપાયે રાહત કાર્ય ચાલી રહ્યું હોવાનું રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું છે.  આ કાર્યમાં  સહયોગ આપવા ઈચ્છતા હોય  તેઓએ આશ્રમના વ્હોટ્સએપ નંબર મો. ૯૩૨૮૮ ૫૯૭૧૯ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(4:00 pm IST)