Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

રાજનગર ચોકના બૂટલેગર પ્રતિક પરમારને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલાયો

માલવીયાનગર પીઆઇ આઇ. એન. સાવલીયા, પીસીબી પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી અને ટીમે વોરન્‍ટ બજવણી કરી

રાજકોટ તા. ૮: શહેર પોલીસ કમિશનર  દ્વારા વધુ એક બૂટલેગરને પાસા તળે જેલ ભેગો કરવામાં આવ્‍યો છે. નાના મવા રોડ રાજનગર ચોક શાષાીનગર-૨માં રહેતાં મુળ જામનગર ખેતરી ફળીના પ્રતિક કિશોરભાઇ પરમાર (ઉ.૩૧)ને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલી દેવામાં આવ્‍યો છે.

દારૂના ગુનામાં સામેલ હોય તેવા શખ્‍સોનો ઇ-ગુજકોપમાં ઇતિહાસ ચેક કરી માલવીયાનગર પોલીસે પ્રતિક પરમારની દરખાસ્‍ત મોકલી હતી. જે પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવએ મંજુર કરી હતી. ઇન્‍ચાર્જ ડીસીપી સજ્જનસ્‍ંિહ પરમાર, એસીપી વી. એમ. પટેલની રાહબરીમાં માલવીયાનગર પીઆઇ આઇ. એન. સાવલીયા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડકોન્‍સ. મસરીભાઇ ભેટારીયા, દિપકભાઇ, શૈલેષભાઇ, અજયભાઇ, રવિભાઇ, કોન્‍સ. હિરેનભાઇ, અંકિતભાઇ, રઘુભા, કૃષ્‍ણદેવસિંહ, ભાવેશભાઇ, હરસુખભાઇ તથા પીસીબીના પીઆઇ જે. આર. દેસાઇ, રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયાએ વોરન્‍ટ બજવણીની કાર્યવાહી કરી હતી.

 

(3:37 pm IST)