Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જય આપાગીગા... સ્‍વ. વીણાબેન ગણાત્રાને શ્રધ્‍ધાંજલી અર્પી અકિલા પરિવારને આશ્વાસન આપતા વિજયબાપુ

રાજકોટ : સૌરાષ્‍ટ્રના સુપ્રસિધ્‍ધ ધર્મધામ સત્તાધારના મહંત પૂ. વિજયબાપુ આજે અકિલાના આંગણે આવેલા. તેમણે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી શ્રી અજિતભાઇ ગણાત્રા, એકઝીક્‍યુટીવ એડિટર શ્રી નિમિષ ગણાત્રાને મળી સ્‍વ. વીણાબેનના સદ્‌ગુણોની વાત જાણી પ્રસન્‍નતા વ્‍યકત કરવા સાથે શ્રધ્‍ધાંજલી અર્પણ કરેલ હતી. તેમણે અકિલા પરિવાર સાથેના વર્ષો જુના સબંધો વાગોળી સત્તાધારની ધાર્મિક અને સેવાકીય પ્રવૃત્તિની ચર્ચા કરેલ. પરમાત્‍મા ગણાત્રા પરિવાર અને અકિલા પરિવારને આઘાત સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી. અકિલા પરિવારના મીનાબેન હરીશભાઇ ચગ, ભારતીબેન લલિતભાઇ સવજાણી, ભાવનાબેન દીપકભાઇ નાગ્રેચા, સ્‍મિતાબેન સુનિલભાઇ રાયચૂરા, કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, દિવ્‍યાબેન હિમતભાઇ દવાવાલા, ચિ. ધન્‍વી, ચિ. માહી વગેરેને આશિર્વાદ આપ્‍યા હતા. આ તકે સત્તાધારના ભકત વિનુભાઇ ટાંક, હર્ષલ ટાંક અને અન્‍ય સેવકો ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર : સંદીપ બગથરિયા)

(3:04 pm IST)