Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

આજીડેમમાં મંદિરના નામે ફંડ-ફાળો ઉઘરાવતા લેભાગુ શખ્સો સામે રજુઆત

દિવાળીબેન સેલાણીની પોલીસ કમિશનરને લેખિત ફરીયાદ

રાજકોટ, તા. ૮ : નવા થોરાળામાં રામનગરમાં રહેતા દિવાળીબેન સવસીભાઇ સેલાણીએ પોલીસ કમિશનરને લેખિત ફરીયાદ કરી છે.

રામનગરમાં રહેતા દિવાળીબેને લેખિત ફરીયાદમાં જણાવ્યું છે કે, આજીડેમ વિસ્તારમાં આવેલા શ્રી હાથીધરા વાળા મેલડી માતાજીના મંદિરના નામે ફંડફાળો ઉઘરાવતા લેભાગુ શખ્સો સામે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી માંગણી છે. પોતે ઘણા સમયથી મંદિરનું સંચાલન કરે છે. અમુક શખ્સો મંદિરના નામથી બોગસ પહોંચ બુક અને ખોટા દસ્તાવેજો ઉભા કરી ધર્મપ્રેમી જનતા તથા ભકત સમુદાય પાસેથી ફંડફાળો ઉઘરાવી રહ્યા છે તેમની માનતા પૂરી કરવા તથા તાવો કરવા માટે આવતા ભકતજનો પાસેથી ફંડફાળો ઉઘરાવનારા લેભાગુ શખ્સો સામે કાર્યવાહી કરવા માટે જણાવાયું છે.

(3:34 pm IST)