Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

ઓમ આશાપુરી પ્રગતિ મંડળ વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા રવિવારે સમુહલગ્ન : ૧૧ યુગલો સંસાર રથમાં જોડાશે

રાજકોટ તા. ૮ : ઓમ શ્રી આશાપુરી પ્રગતિ મંડળ વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા તા.૧૦ ના રવિવારે વસંત પંચમીના સમુહલગ્નોત્સવનું આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ  જણાવેલ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક ધોરણે ૧૧ માં સમુહલગ્ન યોજેલ છે. જેમાં ૧૧ યુગલો સુખી સંસારની વાટ પકડશે.

સામાકાંઠે, ભાવનગર રોડ પર મહાનગરપાલીકાની ઓફીસ સામે ભાવેશભાઇ લોખીલ (આહીર)ના ડેલમાં આયોજીત આ સમુહલગ્નના આચાર્ય તરીકે પ્રવિણભાઇ શિવલાલભાઇ સેવા આપશે. ગણેશ સ્થાપન સવારે ૭ વાગ્યે અને મંડપ મુહુર્ત સવારે ૭.૩૦ વાગ્યે થશે. ૧૦.૩૦ વાગ્યે હસ્ત મેળાપ અને બપોરે ૩.૩૦ વાગ્યે જાન વિદાય લેશે. આ અવસરે ભીખારામબાપુ કાપડી અને શારદાબેન કાપડી સ્વાગત કરશે.

મંગલ પ્રસંગે શ્રી સીતારામ બાપુ ગોંડલ, દયારામ ડાડા લોડાઇ (કચ્છ), ભરતભાઇ ભટ્ટ આશાપુરા મંદિર રાજકોટ તેમજ અન્ય આગેવાનો પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઇ રાજગુરૂ, કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, પી.એસ.આઇ. ટી. કે. ગોંડલીયા, અંજર કચ્છના ડો. મણીરામ કાપડી ઉપસ્થિત રહી નવદંપતિને આશીર્વચનો પાઠવશે.

સમુહલગ્નનું સંચાલન જાણીતા પ્રવકતા અને લોકમેળા ફેઇમ કલાકાર તુલસીદાસ ગોંડલીયા (મો.૯૯૭૯૪ ૬૯૫૯૯) કરશે.

રૂડા લગ્નને દીપાવવા ગીતાબેન કાળુભાઇ દાણીધારીયા, પૂનમબેન ગોંડલીયા, રાધિકા હરીયાણી, તુલસીદાસ ગોંડલીયા લગ્નગીતોની રમઝટ બોલાવશે.

સમગ્ર આયોજન માટે મહંત પ્રભુદાસ ગોંડલીયા, બ્રહ્મદાસ ગોંડલીયા અને કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં સમગ્ર આયોજનની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા ભીખારામજી કાપડી (મો.૯૪૨૮૨ ૫૭૯૭૬), પી.એસ.આઇ. ટી. કે. ગોંડલીયા, નિવૃત્ત મામલતદાર હસમુખભાઇ બી. ગોંડલીયા, કલાકાર તુલસીદાસ ગોંડલીયા, બાલકૃષ્ણભાઇ અમરદાસજી ગોંડલીયા નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (૧૬.૩)

(4:07 pm IST)