Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

રવિવારથી માછી મહાજન નાની દમણ દ્વારા શિવ મહાપુરાણ નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞ

શાસ્ત્રી કૃષ્ણકાંતભાઈ ત્રિવેદી વ્યાસાસને બિરાજી કથાપાન કરાવશે

 રાજકોટ તાઃ ૮ શ્રી માછી મહાજન નાની દમણ દ્વારા શૈક્ષણિક અને ધાર્મિક કાર્યોનાં લાભાર્થે સોમવારથી શિવ મહાપુરાણ નવાહન પારાયણ જ્ઞાનયજ્ઞનું આયોજન થયેલ છે જેમાં સૌરાષ્ટ્રના જાણીતા પુરાણાચાર્ય શાસ્ત્રી કૃષ્ણકાંતભાઈ ત્રિવેદી વ્યાસાસને બિરાજી સંગીતમય શૈલીમાં કથાપાન કરાવશે

  માછી મહાજન વાડી સત્યનારાયણ મંદિર નાની દમણમાં યોજાનાર જ્ઞાનયજ્ઞના અતિથિ વિશેષપદે માછી સમાજના કુલગુરુ પૂ,૧૦૦૮ મહંત ગોપાલદાસજી ગુરુ રામમિલન દાસજી શાસ્ત્રી ડાકોરવાળા (હોળીવાળા મહારાજ )બિરાજશે પોથીના મુખ્ય યજમાન ઘાટી શેરી છે

 જ્ઞાનયજ્ઞ પ્રસંગે રવિવારે સવારે પોથીયાત્રા સત્યનારાયણ મંદિરેથી નીકળીને કથા સ્થળ  પહોંચશે બાદ બપોરે કથા માહાત્મ્ય વર્ણવશે સોમવારે બપોરે શિવ પ્રાગટ્ય અને ગુરુવારે શિવ વિવાહ પ્રસન્ગ ઉજવાશે  શુક્રવારે ગણેશ પ્રાગટ્ય અને શનિવારે સવારે સત્યનારાણયન ભગવાનની સમૂહ કથા અને રવિવારે બપોરે બાર જયોર્તિલિંગ પ્રાગટ્ય થશે સોમવારે સવારે શિવકથા વિરામ થશે અને બપોરે કથા વિરામ શોભાયાત્રા યોજાશે  (૪૦.૮)

 

(3:43 pm IST)