Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ખોડિયારનગરના વિરબહાદુર પાસવાનનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૮: ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ખોડિયારનગરમાં રહેતાં મુળ બિહારના વિરબહાદુર રામાનંદ પાસવાન (ઉ.વ.૪૫)ને સાંજે આઠેક વાગ્યે છાતીમાં દબાણ થઇ જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં ચાર પુત્ર છે. તે કારખાનામાં કામ કરતાં હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(1:14 pm IST)