Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજનું સ્નેહમિલન : વિદ્યાર્થી સન્માન

રાજકોટ : શ્રીનાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટના રાજકોટમાં રહેતા જ્ઞાતિજનો માટેના સ્નેહમિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતું. ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ મહેતા તથા માનદ્દમંત્રી ઉમેશભાઈ મહેતાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરેલ. આ તકે ધો.૧૨માં જ્ઞાતિ પ્રથમ સાવન દવે, ગ્રેજ્યુએટમાં જ્ઞાતિ પ્રથમ ભૂમિ દવેને શિલ્ડ અને પ્રમાણપત્રથી નવાજ્યા હતા. તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ડો.મયુર ગુલાબભાઇ દવે પીએચડી, નમ્રતા મયુર દવે કલા મહાકુંભ રાજયકક્ષા, શુભમ સુરેશભાઈ ઓઝા કરાટે, રાજયકક્ષા તેમજ નિસર્ગ શૈલેષભાઈ મહેતા - બોડી બિલ્ડીંગ ચેમ્પિયન તેમજ ચક્ષુદાન કરનાર અનંતભાઈ મહેતાના પરીવારજનોને સન્માનિત કરાયા હતા.

ઉપરાંત ૭૫ વર્ષ પૂર્ણ કરનાર મંજુલાબેન દવે, હર્ષલક્ષાબેન જોષી અને જગદીશભાઈ શ્રોત્રિયને પણ શાલ ઓઢાડી વયવંદના કરી હતી.  ટ્રસ્ટના મંત્રી ઉમેશભાઈ મહેતા આકાશવાણીમાંથી વર્ગ-૨ના અધિકારી તરીકે નિવૃત થતાં તેમનું પણ બહુમાન કરવામાં આવ્યુ હતું. શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાનેયોજાયેલ કાર્યક્રમનું સંચાલન કિશોરભાઇ દવે (સ્વામી ગુરૂકુળ)એ કર્યુ હતું.

(4:16 pm IST)