Gujarati News

Gujarati News

News of Saturday, 7th December 2019

ભગવદ ગીતાનુ જ્ઞાન પ્રસરાવતી રાજકોટની ગીતા વિદ્યાલયનો કાલે પપમાં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા.૭: જંકશન પ્લોટ ખાતે શ્રીમનહરલાલજી મહારાજ સ્થાપિત સેવાસંસ્થા ગીતા વિદ્યાલય  ટ્રસ્ટ તા.૮ને રવિવારે ગીતા જયંતિના રોજ ભગવદ્દગીતાનો ગુંજારવ અને માનવસેવાના ૫૪ વર્ષોની સેવાયાત્રા પૂર્ણ કરીને પપમા વર્ષમાં પ્રવેશ કરેછે

આજનો બાળક એ આવતીકાલનો નાગરિકછે તે ધ્યાનમાં રાખીને જો બાળકોને બાળપણથીજ ગીતાજી- રામાયણનું અધ્યયન કરાવવામાં આવે તો સદાચાર,સદ્દગુણ,સહિષ્ણુતાથી પરિપૂર્ણ આદર્શ નાગરિકોનું ઘડતર થાય અને એક આદર્શ ભારત રાષ્ટ્રનું નિર્માણ થાય.આ ભવ્ય હેતુને નજર સમક્ષ રાખીને ભાગવતાચાર્ય શ્રીમનહરલાલજી મહારાજે સૌરાષ્ટ્રમાં જામનગર, રાજકોટ,ગોડલ,ખાંડાધાર,કોસંબા,ધારી,ધ્રોલ સહીત અનેક સ્થળોએ ગીતા વિદ્યાલયની સ્થાપના કરી, જેમાં રાજકોટમાં આજથી ૫૪ વર્ષો પૂર્વે ગીતા જયંતીના રોજ ગીતા વિદ્યાલયની સ્થાપના કરી.

રાજકોટમાં જંકશન પ્લોટ ખાતે છેલ્લા ૫૪ વર્ષોથી ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્રારા બાળ સંસ્કાર કેન્દ્ર,ગીતા પ્રચાર,સંસ્કૃત પ્રચાર,નિૅંશુલ્ક ઉનાળુ છાશકેન્દ્ર,નિૅંશુલ્ક નિદાન-

સારવાર કેમ્પ,રાહત દરે નોટબુક વિતરણ,કારકિર્દી માર્ગદર્શન,સાર્વજનિક વાચનાલય, પુસ્તકમેળો,મેડીકલ સાધનસહાય, જ્ઞાનયજ્ઞ, બાળમજૂરીનાબુદી અભિયાન, વ્યસનમુકિત વગેરે સેવાપ્રવૃત્તિઓનું નિયમિતપણે સંચાલન થાયછે. સસ્થાની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને કારણે રાજકોટ મહાનગરપાલિકાએ જંકશન પ્લોટ મેઈન રોડને ગીતા વિદ્યાલય રોડ નામ આપેલછે. નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના બિનરાજકીય, બિન વિવાદાસ્પદ ધોરણે છેલ્લા ૫૪ વર્ષોથી ગીતા પ્રચારનુ પાયાનું કાર્ય કરી રહેલ રજિસ્ટર્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીતા વિદ્યાલય-ગીતા મંદિરના પપમા વર્ષમાં પ્રવેશ સમયે છેલ્લા ૫૪ વર્ષો દરમ્યાન મળેલા સહકાર બદલ સૌ દાતાઓ,શુભેચ્છકો પ્રત્યે ઋણસ્વિકાર સાથે આભારની લાગણી ગીતા વિદ્યાલયના સંચાલક ડો.કૃષ્ણકુમાર મહેતાએ  (મો. ૯૮૯૮૩ ૧૮૨૮૬ )વ્યકત કરીછે.

(4:04 pm IST)