Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રૈયાધાર સ્લમ કવાર્ટરમાં ઇંડાનું શાક ખાધા બાદ એક જ પરિવારના ૭ને ફૂડ પોઇઝનીંગ

મહેબુબભાઇ દારૂલ અને પરિવારના સભ્યોને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા.૬: રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતાં મુસ્લિમ પરિવારના સાત સભ્યોને રાત્રે ભોજનમાં ઇંડાનું શાક ખાધા બાદ આજે સવારે ફૂડ પોઇઝનીંગ થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેને દાખલ કરવામાં આવ્યા તેમાં મહેબુબભાઇ ઇબ્રાહીમભાઇ દારૂલ (ઉ.૫૦), નજુબેન મહેબુબભાઇ દારૂલ (ઉ.૪૦), હાજુબેન ઇબ્રાહીમભાઇ દારૂલ (ઉ.૬૫), સલમાબેન મોહસીનભાઇ દારૂલ (ઉ.૧૮), મોહસીનભાઇ મહેબુબભાઇ દારૂલ (ઉ.૫૨), રેશ્માબેન મહેબૂબભાઇ (ઉ.૨૦)નો સમાવેશ થાય છે. આ તમામે રાત્રે ઇંડાનું શાક, રોટલી ભોજનમાં લીધા હતાં. સવારે બધાને ઝાડા ઉલ્ટી થઇ જતાં તબિયત બગડતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. (૧૪.૯)

(4:41 pm IST)