Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

અખિલ મચ્‍છુ કઠિયા સઇ સુતાર (દરજી) સમાજનો રવિવારે સરસ્‍વતી સત્‍કાર સમારંભ

૩૫૦ વિદ્યાર્થીઓને શિલ્‍ડ, પ્રમાણપત્રથી નવાજાશેઃ પીઢ ફોટોગ્રાફર સ્‍વ. મનહરભાઇ ટંકારીયાનું મરણોતર જ્ઞાતિરત્‍ન એવોર્ડથી સન્‍માનઃ પરિવારજનોની ઉપસ્‍થિતિ

રાજકોટઃ તા.૭, આગામી રવિવારે અખિલ મચ્‍છુ કઠિયા સઇ સુતાર (દરજી) સમાજનો સરસ્‍વતી સન્‍માન સમારંભ યોજાશે. જેમા જ્ઞાતિના ૩૫૦ વિદ્યાર્થીઓને શિલ્‍ડ, પ્રમાણપત્ર સહિતના ઇનામોથી નવાજાશે. આ પ્રસંગે રાજકોટના પીઢ પ્રેસફોટોગ્રાફર સ્‍વ. મનહરભાઇ ટંકારીયાને  જ્ઞાતિરત્‍ન એવોર્ડથી સન્‍માન કરવામાં આવશે. આ પ્રસંગે ટંકારીયા પરિવાર વિશેષરૂપે ઉપસ્‍થિત રહેશે. ઉલ્લેખનીય છે કે સ્‍વ. મનહરભાઇના પુત્રો રમેશભાઇ, જયેશભાઇ અને બીપીનભાઇ પણ વિવિધ અખબારોમાં ફોટોગ્રાફર તરીકે સેવા બજાવી રહયા છે.

શ્રી અખિલ મચ્‍છુ કઠિયા સઈ સુતાર (દરજી) સમાજ શૈક્ષણીક ટ્રસ્‍ટ - રાજકોટ દ્વારા દદર તા. ૧૦ ને રવિવાર ના રોજ હેમુ ગઢવી હોલ - રાજકોટ ખાતે ૧૨મો સરસ્‍વતી સત્‍કાર સમારંભ, વર્ષ ૨૦૧૮-૨૦૧૯ યોજવામાં આવેલ છે. આ સરસ્‍વતી સત્‍કાર સમારંભમાં તેજસ્‍વી વિદ્યાર્થીઓને શીલ્‍ડ તેમજ ઉપયોગી સાધનો આપવામાં આપી સન્‍માનીત કરવામાં આવે છે.

અત્રે નોંધનીય છે કે  ટ્રસ્‍ટ દ્વારા શિક્ષણને લગતી તમામ પ્રવૃતિઓ કરવામાં આવે છે જેમ કે જ્ઞાતીના  ૯૦૦ થી ૭૫૦ વિદ્યાર્થીઓને છેલ્લાં ૧૨ વર્ષથી ફુલ સાઇઝ નોટબૂકનું વિતરણ કરવામાં આવે છે તેમજ ધોરણ ૧૦ અને ૧૨ અને કોલેજના વિદ્યાર્થીઓને વિનામુલ્‍યે પાઠયપુસ્‍તકોનું વિતરણ કર વામાં આવે છે. 

 આયોજનને સફળ બનાવવા ટ્રસ્‍ટના પ્રમુખશ્રીદીપકભાઈ પીઠડીયા (મો.૯૮૨૫૦  ૭૨૪૦૫) ઉપપ્રમુખશ્રી સુરેશભાઇ મકવાણા, મંત્રીશ્રી જીતુભાઈ પીઠડીયા, ખજાનચી શ્રી મનસુખભાઇ ચાવડા તેમજ સભ્‍યો જીતેન્‍દ્રભાઈ ચાવડા, દેવકરણભાઈ મકવાણા, હરસુખભાઇ ચાવડા, હસમુખભાઇ ગોહેલ, ભૂપતભાઇ ગોહેલ, અરવિંદભાઇ પીઠડીયા, પ્રશાંતભાઈ પીઠડીયા, મનિષભાઈ પીઠડીયા, મનીષભાઈ ધામેચા, દિનેશભાઇ લીંબડ, નવીનભાઈ પીઠડીયા, વિરલ ધામેચા, અમિત ગોહેલ, અર્જુન પીઠડીયા   જહેમત ઉઠાવી રહયા છે. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:36 pm IST)