Gujarati News

Gujarati News

News of Thursday, 7th November 2019

સદર બજાર ગુરૂનાનક મંદિરે કાલથી ગુરૂનાનક જયંતિ ઉજવણીનો પ્રારંભ

દરરોજ ભક્‍તિ સત્‍સંગ, શબ્‍દ કિર્તન, આરતી : મંગળવારે જન્‍મોત્‍સવ ઉજવાશે

રાજકોટ તા. ૭ : ગુરૂનાનક દેવની ૫૫૦ મી જન્‍મ જયંતિનો ઉત્‍સવ ફુલછાબ ચોકની સામે, સદર બજાર ગુરૂનાનક મંદિર ખાતે ઉજવાશે.

કાલે તા. ૮ થી ૧૨ સુધી દરરોજ ભાવનગરના સંતો ગુલાબસિંહ એન્‍ડ પાર્ટી દ્વારા સવારે પ થી ૬ અમૃત વેલા તથા સવારે ૧૦ થી ૧૨ અને રાત્રે ૧૦ થી ૧૨ સુધી ભક્‍તિ સંત્‍સંગ, શબ્‍દ કિર્તન, ગુરૂનાનકવાણી ભવન, આરતી, પૂજા, હરદાસ થશે. બન્ને સમયે કણા પ્રસાદ વિતરણ કરાશે.

તા. ૧૦ થી ૧૨ સુધી અખંડ પાઠ રાખેલ છે. તા. ૧૨ ના મંગળવારે બપોરે ૧ વાગ્‍યે ગુરૂ ભંડારો લંગર મહાપ્રસાદ રાખેલ છે. રાત્રે ૧.૨૦ મીનીટે હીંડોળા દર્શન, આતશબાજી સાથે ગુરૂગ્રંથ સાહેબની પુર્ણાહુતી થશે. સમગ્ર મંદિરને રોહનીથી ઝળહળતુ કરાશે. ધર્મપ્રેમીજનોએ દર્શન સત્‍સંગનો લાભ લેવા જવાહર પંજાબી (મો.૭૫૬૭૯ ૮૦૮૩૮) ની યાદીમાં જણાવાયુ છે.

(4:30 pm IST)