Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

વોર્ડ નં.૮માં જલારામ જયંતિએ શોભાયાત્રા નિકળશેઃ મહાઆરતી- રકતદાન કેમ્પ

રાજકોટ,તા.૭: રઘુવીર યુવા સેના વોર્ડ નં.૮માં  દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રાતઃ સ્મરણીય સંત શ્રી પૂજય જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિ તા.૧૪ને બુધવારના શુભ દિવસે ઉજવવા માટે આ હરખની હેલીમાં ધામ ધૂમે વાજતે ગાજતે ઉજવવામાં આવશે.

પૂજય બાપાની શોભાયાત્રા તથા સામૈયુ લક્ષ્મીનગર મેઈન રોડ શ્રીનાથજીની હવેલીથી  પંચવટી મેઈન રોડ ખાતેથી સાંજે ૫:૩૦ કલાકે પ્રારંભ થશે, મહાઆરતી સાંજે ૭ કલાકે રાજકોટ લોહાણા મહાજન, કારોબારી સભ્ય તથા સમાજ શ્રેષ્ઠીઓના હસ્તે થશે. ત્યારબાદ મહાપ્રસાદ તથા બ્લડ ડોનેશન કેમ્પ સાંજે ૭:૩૦ વાગ્યાથી સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, સૂર્યનગર- ૨ પંચવટી મેઈન રોડ ખાતે યોજાશે. જલરામ ભકતોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આયોજન અમિતભાઈ અઢિયા, હિતેષભાઈ ભીંડે, ગિરીશભાઈ મદલાણી, ચેતનભાઈ સેજપાલ, મોહિત નથવાણી, ચંદ્રકાન્તભાઈ રાયઠઠ્ઠા, નંદલાલભાઈ સોનછાત્રા, પ્રદિપભાઈ મૃગ, દિપેનભાઈ કાનાબાર, અશ્વીનભાઈ કારીયા, વિજયભાઈ પોપટ, અશોકભાઈ નથવાણી, જીતેન્દ્રભાઈ મદલાણી, ધર્મેશ સેજપાલ, સુનિલ મૃગ, ગીરધરભાઈ માધાણી, મનિષભાઈ ગોંધિયા, વિમલભાઈ કાનાબાર, કિશોરભાઈ દાવડા, મિલનભાઈ જીવાણી, મયુર વસંત, નિમેશ રાડીયા, રવિરાજ ભીંડે, યશ અજાબીયા, સચિનભાઈ જોબનપુત્રા, નટુભાઈ ગોટેચા, ગોપાલ રાજા, હિરેન તન્ના, જેન્તીભાઈ તન્ના, ધ્રુમીલ ગોંધીયા, કેતનભાઈ કારીયા, મયુરભાઈ ભોજાણી, ધર્મેશભાઈ ખખ્ખર, પ્રવિણભાઈ સાદરાણી, હિરેન મદલાણી, દિપક મદલાણી, મિત મૃગ, મિતેષ ચોટાઈ જોડાયા છે.(૩૦.૩)

(3:04 pm IST)