Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

સ્વામિનારાયણ ગુરૂકુળમાં ચોપડા પૂજન-લક્ષ્મી પૂજન

 શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ રાજકોટ ખાતે દિવાળીના શુભ દિને ચોપડા પૂજન તથા લક્ષ્મી પૂજનનું આયોજન કરાતા વિશાળ સંખ્યામાં હરિભકતોએ વિદ્વાન ભૂદેવો તથા પવિત્ર સંતોના સાનિધ્યમાં લાભ લીધો હતો. આ પ્રસંગે ગુરૂસ્થાને બિરાજતા ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીએ આરતી ઉતારી વેપારી ભાઇઓને સંબોધતા જણાવેલ કે તમે સંવત ર૦૭પની સાલમાં નીતિમતા અને પ્રામાણિકતાથી વેપાર ધંધા કરજો સાથો સાથ ભગવાનને કહેતા નારાયણને રાખજો તો લક્ષ્મી જરૂર પધારશે. વિશેષમાં સ્વામીજીએ જણાવેલ કે જેમ આપણે દર વર્ષે ચોપડામાં ધંધાનું સરવૈયું કાઢીએ છીએ એમ આપણા જીવનનું પણ સરવૈયું કાઢવું. ગત વર્ષ કરતા પણ ચાલુ વર્ષે કેટલા જીવનમાં પણ સફળ થાય હવે કેટલુ આગળ વધવું ને વિચારવું એમ બાલુ ભગત તથા નિલકંઠ ભગતની યાદીમાં જણાવ્યું છે. આ પ્રસંગે શાસ્ત્રી હરિપ્રિય સ્વામીએ વિવિધ વિધિ કરી સૌને આશિર્વાદ પાઠવેલ. (૮.૧પ)

(2:51 pm IST)