Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

નવાગામમાં સાળીના ઘરે આવેલા બનેવીનો શરીરે પેટ્રોલ છાંટી સળગી જઇ આપઘાત

ગાંધી વસાહતમાં આર્થિક ભીંસને લીધે ઝેર પી લેનારા યુવાન રત્‍નદિપ પરમારનું મોત

રાજકોટ તા. ૭: મહેસાણાથી રાજકોટના નવાગામ સાત હનુમાન પાસે રહેતી સાળીના ઘરે પોતાની પત્‍નિ સાથે આવેલા સતા વાજાભાઇ સરણીયા (ઉ.૩૦) નામના યુવાને દારૂનો નશો કર્યા બાદ શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્‍નાન કરી આપઘાત કરી લીધો હતો.

સતા સરણીયા અને તેની પત્‍નિ સંગીતા  તથા બાળકો આઠ દસ દિવસ પહેલા નવાગામ આવ્‍યા હતાં અને સાળીને ત્‍યાં રોકાયા હતાં. નશાની આદતથી કંટાળીને સતાએ દારૂ પીધા બાદ આ પગલુ ભરી લીધું હતું. તેને ગંભીર હાલતમાં હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ મોત નિપજ્‍યું હતું. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. કુવાડવા રોડ પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં મોરબી રોડ ગાંધી વસાહતમાં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં રત્‍નદિપ લક્ષમણભાઇ પરમાર (ઉ.૨૨) નામનો યુવાન તા. ૫ના રોજ ઉંદર મારવાની દવા પી જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે બે ભાઇ અને બે બહેનમાં મોટો અને અપરિણીત હતો. આર્થિક ખેંચને કારણે કંટાળીને આ પગલુ ભર્યાનું તેના સ્‍વજનોએ કહ્યું હતું. બી-ડિવીઝન પોલીસે આ અંગે કાર્યવાહી કરી હતી. 

(4:12 pm IST)