Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

રવિવારે શરદપૂર્ણીમાએ રાષ્ટ્રીયશાળામાં એક દિવસીય ફ્રી ઓશો શિબિર

રાજકોટઃ રાષ્ટ્રીયશાળા ઓશો ગૃપ દ્વારા તા.૯ના રવિવારના રોજ રાષ્ટ્રીયશાળા મધ્યસ્થ હોલમાં એક દિવસીય ફ્રી ઓશો શિબીરનું આયોજન કરેલ છે.  સમય આ મુજબ છે. આ શિબીરનો  સમય સવારે ૫.૧૫થી ૭ વોર્મઅપ તેમજ સત્રિય ધ્યાન, ૭ થી ૯.૩૦ નાસ્તો તેમજ દૈનિક  પ્રવૃતિ માટે વિરામ ૯.૩૦થી ૧૧ ઓશો ધ્યાન પ્રયોગ,૧૧ થી ૧૧.૩૦ ચા-પાણી વિરામ, ૧૧.૩૦થી  ૧.૧૫ ઓશો ધ્યાન પ્રયોગ બપોરે ૧.૧૫ થી ૪ ભોજન તેમજ આરામ ૪ થી ૫.૧૫ શરદપૂર્ણિમા ઉત્સવ, ૫.૧૫થી ૫.૪૫ ચા-પાણી વિરામ, ૫.૪૫ થી ૮.૩૦ ઓશો વાઇટ રોલ સેલિબ્રેશન ૮.૩૦ થી  રાત્રીભોજન બાદ શિબિર સમાપન  આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપ પટેલ, ભીખાલાલ વોરા, મહેશભાઇ કયાડા, ભરત વિરડીયા, રણછોડભાઇ પટેલ, ભાર્ગવ ત્રિવેદી, કિશોરભાઇ કોટડીયા, લલીતભાઇ રંગાણી, કિશનભાઇ વિજય, કિશોર મકવાણા, હર્ષદભાઇ, મહેશભાઇ લુણાગરીયા, મિલન શાહ, નિરજ લાખાણી, પરેશ ઉધઈ, વિપીનભાઇ કારીયા,  દિનેશ ભીમાણી, અશ્વિનભાઇ ખુવા, રવિ લુણાગરીયા, રાષ્ટ્રીયશાળા મેનેજીંગ સ્ટાફ તેમજ પ્રેમ સ્વામી  ભારતીબેન કયાડા, કલ્પનાબેન ભાગ, ભાવના કાસેન્દ્રા, કંચનબેન વિરડીયા, ઇલા શિંગાળા, નિપા ત્રિવેદી, પુજા એસ્કોલ, નિશા મકવાણા, સુમિતા લુલાગરીયા, ભાવિશા લુણાગરીયા, ખ્યાતિ શાહ વગેરે રાષ્ટ્રીયશાળા  ગૃપના સભ્યો જહેમત ઉઠાવી રહેલ છે. શિબિરના રજીસ્ટ્રેશન માટે વોટસએપ- દિલીપ પટેલઃ-૯૮૨૫૨૨૯૩૯૪, ભીખાલાલ વોરાઃ-૯૩૭૪૧૦૧૧૨૪,ભાવના કાસુન્દ્રાઃ-૭૫૭૫૦૦૨૦૨૦

(4:07 pm IST)