Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઝંડીઓ નિયમ મુજબ નિયત જગ્‍યાએ જ લગાવી જોઇએ : પ્રદીપ ડવ

રાજકોટ : ઇદના તહેવારને અનુલક્ષીને શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પરના નાણાવટી ચોક ખાતે લઘુમતી સમાજ દ્વારા લગાડાયેલ ઝંડા મનપા દ્વારા ઉતારી લેવાતા ટોળા એકત્ર થઇ જતા પોલીસે મામલો થાળે પાડયો હતો. આજે કોર્પોરેશન દ્વારા ઝંડીઓ જપ્‍ત કરાયાના વિરોધમાં લઘુમતી આગેવાનો દ્વારા આજે મેયર ડો. પ્રદીપ ડવને મળી આ અંગે રજુઆત કરવામાં આવેલ. મેયર ડો.પ્રદીપ ડવે જણાવેલ કે, મુખ્‍ય ચોક, જાહેર રાજમાર્ગો તથા બીઆરટીએસ રૂટ ઉપર નિયમ મુજબ અને નિયત જગ્‍યાએ જ ઝંડી લગાવી શકાશે. 

(4:06 pm IST)