Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

કાલે સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર માટે રંગોળી સ્‍પર્ધા-દાંડીયા રાસ

રાજકોટ, તા.,૭ :  શ્રી સૌરાષ્‍ટ્ર બાજ ખેડાવાળ બ્રાહ્મણ વિધા પ્રસારક મંડળના નેજા હેઠળ યુવા સંગઠન અને મહિલા પરીષદ દ્વારા રાજકોટ સ્‍થિત જ્ઞાતિબંધુઓ માટે કાલે તા. ૮ ને શનિવારના રોજ રાસોત્‍સવ સાંજના ૭ થી ૧૦ કલાક સુધી રાખેલ છે. જેમાં તાવાપ્રસાદના દાતા સ્‍વ. શારદામાં સ્‍વ. દયાશંકરબાપા તથા રસિકલાલ દયાશંકર દવેના સ્‍મરણાર્થે હસ્‍તે. શ્રી ચંદ્રિકાબેન ડોલર ભાઇ દવે, રીટાબેન હસમુખરાય (ગુરૂજી) દવેશ્રી ચંદ્રિકાબેન રસિકલાલ દવે તરફથી નિમંત્રણ આપવામાં આવે છે. તેમજ ટ્રેડીશ્નલ ડ્રેસમાં આવવાનું રહેશે. દાંડીયા રાસનું રજીસ્‍ટ્રેશન સ્‍થળ ઉપર (નવી બોર્ડીંગ) સાંજના ૬.૩૦ થી ૭ સુધીમાં કરવામાં આવશે. તેમજ તા. ૦૮ શનિવારે સાંજના ૬ થી ૭ દરમ્‍યાન જ્ઞાતિની નવી બોર્ડીંગ (બાજ નારણજી ભવન, હરિ કીર્તી હોલ) ખાતે જ્ઞાતિના બહેનો અને ભાઇઓ માટે જમીન રંગોળી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સર્વે જ્ઞાતિબંધુઓએ, યુવાન મિત્રોએ તથા યુવતિઓએ રંગોળી સ્‍પર્ધામાં તેમજ દાંડીયા રાસમાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્‍યો છે. 

(5:05 pm IST)