Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

નાલંદા ઉપાશ્રયે ઇન્‍દુબાઇ સ્‍વામી શરણં મમઃ નો નાદ ગુંજશે

પૂ.શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજીની રવિવારે ૯૦મી જન્‍મજયંતિ

રાજકોટ,તા. ૭ : ગો.સંપ્ર.ના સૌરાષ્‍ટ્રના સિંહણ બા.બ.પૂ.શ્રી ઇન્‍દુબાઇ મહાસતીજીની તા. ૯ રવિવારના રોજ ૯૦મી જન્‍મજયંતિની ઉજવણી કરવા માટે નાલંદા સંઘ તથા તેમના ગુરૂણી ભકતો થનગની રહ્યા છે. રવિવારે શરદપૂનમના રોજ રાત્રે ૮ થી ૮:૩૦ દરમિયાન ઇન્‍દુબાઇ સ્‍વામી શરણં મમઃ ના નાદથી નાલંદા ઉપાશ્રય ગુંજી ઉઠશે.

આ દિવસે સાધર્મિક સેવા પર્વ-દાન-શિયળ-જપ-ભાવ સહિત ઉજવાશે મહાન વિભૂતિ એવા પૂ.ઇન્‍દુબાઇ મહાસતીજી જેના પરમ ઉપરકારમાંથી યત્‍કિંચત ઋણમુકત થવાનો સુઅવસર ધર્મપ્રેમીઓ તથા શ્રી સંઘને પ્રાપ્ત થયો છે. પૂ.મહાસતીજીના નામ અને સ્‍મરણ માત્રથી અનેક કષ્‍ટોભર્યા કામ પાર પડે છે.

આ પ્રસંગે તા. ૯ શરદપૂનમના રવિવારે રાત્રે ૮ કલાકે દિવ્‍યજાપ જન્‍મજયંતિ પ્રસંગે સવારે ૬:૩૦થી માનવસેવા-જીવદયા-અનુકંપાદાન-ધાર્મિકકાર્યો રહેશે વિશેષ રાત્રે ૮:૩૦ કલાકે આ પ્રસંગે દાતાઓ-આગેવાનો-શ્રેષ્‍ઠીઓ-સંઘપતિઓ-મહિલા મંડળે સેવા મંડળો ખાસ હાજરી આપશે. તમામ ભકતો હાજર રહી જાપ કરી ભાવવંદના કરશે. 

(3:21 pm IST)