Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

બાળ ખેલૈયાઓએ મચાવી ધમાલઃ કનૈયાનંદ રાસોત્સવમાં જામી રંગત

રાજકોટઃ સરગમ કલબ અને સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા નાગર બોર્ડિંગના ગ્રાઉન્ડમાં યોજાયેલા કનૈયાનંદ રાસોત્સવમાં રંગત જામી હતી અને બાળ ખેલૈયાઓ ખીલ્યાં હતા. આ સમગ્ર નવરાત્રી દરમિયાન કનૈયાનંદ રાસોત્સવ શહેરનો શ્રેષ્ઠ રાસોત્સવ બની રહ્યો છે. ઓરકેસ્ટ્રાના તાલ અને સિંગરોના સૂર વચ્ચે ઝૂમી ઉઠ્યા હતા. બાળ ખેલૈયાઓને નિહાળવા મુકેશભાઈ દોશી,ઉપેનભાઈ મોદી,સુનીલભાઈ વોરા,નલીનભાઈ તન્ના,કિરીટભાઈ પટેલ,પ્રવીણભાઈ હાપલીયા,ગુણવંતભાઈ ભટ્ટ, દક્ષાબેન ભટ્ટ, તખુભા રાઠોડ સહિતના  ઉમટી પડયા હતા. આજે મુખ્ય મહેમાન તરીકે ઉદ્યોગપતિ નટુભાઈ ઉકાણી , નાથાભાઇ કાલરીયા, ડી.કે.વડોદરિયા, આશાબેન શાહ, ડો.પ્રકાશભાઈ સોલંકી, શાંતુભાઈ રૂપારેલીયા, જીજ્ઞેશભાઈ આદ્રોજા, હસુભાઈ ભગદેવ, શૈલેષભાઇ શેઠ અને ધીરૂભાઈ રામાણી વગેરે ઉપસ્થિત રહેશે.

(4:01 pm IST)