Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

મા નો ગરબો રે.... રમે રાજ ને દરબાર.... કનૈયા ગરબી મંડળ

રાજકોટ : શહેરની ભાગોળે રણુજા મંદિર સામે કોઠારીયા રોડ ખાતે કનૈયા ચોકના કનૈયા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૬ વર્ષથી આસો નવરાત્રીનું ભકિતભાવથી આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ નવરાત્રી મહાપર્વનું ભવ્ય દિવ્ય આયોજન કરવામાં આવ્યુ છે. કનૈયા ગરબી મંડળની ૩૬ બાળાઓ અવનવા સ્ટેપ ઉપર રાસની રમઝટ બોલાવે છે. ગરબે ઘૂમતી બાળાઓનો સ્વાગત રાસ, સોમલો રાસ, ચંડ મુંડ મહિસાસુર રાસ સહિતના રાસે ભારે આકર્ષણ જમાવ્યુ છે. શ્રી કનૈયા ગરબી મંડળમાં ગાયક તરીકે રાજુભાઈ હાપલીયા, પૂનમબેન, ઢોલકમાં વિશાલભાઈ ઉદેશા, દિપકભાઈ વાઘેલા, જતીનભાઈ ધામી, કરશનભાઈ સોલંકી સહિતના સેવા બજાવે છે. કનૈયા ગરબી મંડળની બાળાઓને નવરાત્રી દરમિયાન લ્હાણી તેમજ પ્રસાદી વિતરણ કરવામાં આવે છે. ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા પ્રમુખશ્રી કાનાભાઈ આલગોતર, મયુરસિંહ જાડેજા, ચંદ્રસિંહ પરમાર, વિનુભાઈ ચૌહાણ, ભીમભાઈ રાતડીયા, માધાભાઈ આલગોતર સહિતના સેવા બજાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં આયોજકો અને રાસની રમઝટ બોલાવતી બાળાઓ અને ભાવિકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(1:07 pm IST)