Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સિવિલ હોસ્પિટલમાં ગણપતિ દાદાની વંદનાઃ આરતી- વિસર્જન

રાજકોટઃ અહિંના પી.ડી.યુ. સરકારી સિવીલ હોસ્પિટલ ખાતે ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. સિવીલ હોસ્પીટલ ખાતે દરરોજ નિયમિત આરતી, મહાપ્રસાદી આપવામાં આવે છે. સમગ્ર કર્મચારીઓ આરતીમાં ભાગ લે છે. રાજકોટ સિવીલ હોસ્પિટલનાં અધિક્ષક ડો.મનીષભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા દરવર્ષે ધામધુમથી આ પર્વ ઉજવવામાં આવે છે. ગઈકાલે વિસર્જન અગાઉ આરતી પ્રસંગે ડો.મનીષભાઈ મહેતા, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકર, ડો.જાગૃતિબેન મહેતા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:51 pm IST)