Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

મોહરમ પર્વે શબીલોમાં પાણીના ટેન્કર આપો : રજુઆત

સામજીક કાર્યકર ડો.અબ્દુલ બેલીમ દ્વારા મ્યુ.કમિશ્નરને આવેદન

રાજકોટ તા ૭ : આગામી તા.૧૨ થી તા.૨૨ સપ્ટે(બર સુધી મહોરમ પૂર્વે વિવિધ વિસ્તારોમાં પાણીના ટાંકા (ટેન્કરો) ત થા વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ સહિતના પ્રશ્નો ઉકેલવા સામાજીક કાર્યકર ડો. અબ્દુલભાઇ બેલીમ દ્વારા મ્યુઉ કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે. આ અંગે પાઠવેલ પત્રમાં તેઓએ જણાવ્યું હતું કે દુધની ડેરી, ખાટકીવાડ,સદર જુમ્મા મસ્જીદ વિસ્તાર, રામનાથપરા, હાથીખાના અને શહેર જુમ્મા મસ્જીદ વિસ્તાર, બાબરછયા કોલોની, માજોઠીનગર, મોચીનગર,, ભગવતીપરા, એસ.ટી.વર્કશોપ, મોરબી રોડ, ચામડીયા ખાટકીવાસ, ઘાંચીવાડ, સ્લમ કવાટર્સ, ભીસ્તીવાડ, પોપટપરા, પોલીસ હેડ કવાટર્સ, ખોડીયારપરા, (આજીવસાહત) બજરંગવાડી, નહેરૂનગર, બ્રહ્મસામાજ, નુરાનીપરા, લક્ષ્મીનગર, રૂખડીયા કોલોની, કાનાભાઇના મફતીયા, થોરાળા, ગંજીવાડ, હોસ્પિટલ ચોક પાસે બનતી શબીલો સહિત વિસ્તારોમા તથા ઉપરોકતવિસ્તારોમાં ં દર વર્ષ મુજબ આ વર્ષે પણ શબીલોમાં પાણીના ટેન્કરો આપવા, લાઇટોની સમસ્યા ઉકેલવા માગણી કરવામાં આવી છે.

(3:58 pm IST)