Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

કાલે ઓશો મહાપરિનિર્વાણ ધ્યાન-સન્યાસ ઉત્સવ

ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક આયોજનઃ નિર્વાણ સ્વામી જગદીશભાઇ પટેલ તથા બળવંતભાઇ વામજાને અંજલી અપાશે

રાજકોટ તા.૭: ઓશોના સુત્ર ''ઉત્સવ આમાર જાતિ, આનંદ આમાર ગોત્ર''ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવો, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૩ વષોથી રાત અને દિવસ ૨૪ કલાક ઓશો કાર્યથી ધમધમતું રાજકોટનું ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર અવાર નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા. ૮ સપ્ટેમ્બર શનિવારના રોજ ઓશો મહાપરિનિર્વાણ દિવસ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર સાંજના  ૬-૩૦ થી ૮-૩૦ દરમ્યાન ધ્યાનોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ધ્યાનોત્સવ કાર્યક્રમ દરમ્યાન ઓશો કિર્તન, સંધ્યા સત્સંગ, વીડિયો દર્શન, સન્યાસ ઉત્સવ તથા હાલમાં નિર્વાણ પામેલા ઓશો સન્યાસી સ્વામિ જગદીશભાઇ કે. પટેલ તથા બળવંતભાઇ વામજાન પુષ્પાંજલી અર્પણ કરવામાં આવશે. કાર્યક્રમ બાદ મહાપ્રસાદ (હરિહર) ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

''ઓશો મહાપરિનિર્વાણ દિવસ''

તા.૮ સપ્ટેમ્બર ૧૯૭૯ના રોજ ઓશોના પિતાજી સ્વામિ દેવતીર્થ ભારતી (પૂજય દદાજી) નિર્વાણ પામ્યા હતા. તેના અનુસંધાને ઓશો સન્યાસીઓએ આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ત્યારે ઓશોએ કહેલ આ દિવસ ફકત સ્વામિ દેવતીર્થ ભારતી (દદાજી) પુરતો સિમીત નહી પરંતુ જે કોઇ ઓશો સન્યાસીઓ નિર્વાણ પામ્યા છે અને નિર્વાણ પામસે તેઓને આ દિવસ અર્પણ કરીને સમસ્ત ઓશો જગત માટે આ દિવસને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વ્યસ્ત જીવનમાં આ તમામ સાંસ્કૃતિક કાર્ય કરતા રહીને પણ વ્યકિત પોતાની અંતયાત્રા દ્વારા આધ્યાત્મિક શાંતિ તેમજ સચ્ચિદાનંદ સ્વરૂપ પ્રાપ્ત કરી શકે તે માટે પુર્ણ સ્વતંત્રતાથી પ્રેમમયી જીવન જીવવાની કલા શિખવતી ઓશો ધ્યાન પદ્ધતિ દરેક સાંપ્રદાયના સાધક વર્ગન માટે ખુબ જ પ્રભાવશાળી છે.

ઉપરોકત ઓશો મહાપરિનિર્વાણ નિમિતે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર મુંબઇના સ્વામિ જીતુ ભારતી એ ૬ થી ૯ સપ્ટેમ્બર દરમ્યાન ચાર દિવસીય ગુર્જીએફ મુવમેન્ટ સેન્ડ સિસ્ટમની શિબિરનું આયોજન કરેલ છે તેઓના સંચાલનમાં આ શિબિર થવાની છે તેઓ ધ્યાનોત્સવમાં મુખ્ય મહેમાન છે.

મહાપરિનિર્વાણ શિબિર તથા ધ્યાનોત્સવમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથા પ્રેમીઓને સ્વામિ સત્ય પ્રકાશ, પુર્વીદીદી તથા ઇનર સર્કલે હાર્દિક અનુરોધ કરેલ છે.

સ્થળ : ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે ૪ વેૈદવાડી, રાજકોટ.

વિશેષ માહિતી માટે સ્વામિ સત્ય પ્રકાશઃ- ૯૪૨૭૨ ૫૪૨૭૬, મિસ્ત્રી નીતિનભાઇ :- ૯૯૨૪૨ ૩૪૦૯૬, જયેષભાઇ કોટક :- ૯૪૨૬૯ ૯૬૮૪૩ નો સંપર્ક થઇ શકે છે.

(3:50 pm IST)