Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

જંગલેશ્વરના ઇમરાનને પાસામાં ધકેલાયો

હથીયાર અને દારૂના ગુનામાં સંડોવણીઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલનું વધુ એક આકરૂ પગલું: ભકિતનગર પોલીસ અને પીસીબીએ બજવણી કરી

રાજકોટ તા. ૭: શહેરમાં શાંતિ જળવાય રહે અને લોકો ભયમુકત બને તે માટે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે વધુ એક ગુનેગારને પાસા તળે જેલમાં ધકેલી દીધો છે.

જંગલેશ્વર એકતા કોલોની શેરી નં. ૧માં રહેતાં ઇમરાન ઉર્ફ આલીમ આનીશભાઇ શેખ (ઉ.૩૦)ને અગાઉ પોલીસે ગેરકાયદેસર હથીયારના ગુનામાં તથા દારૂના ગુનામાં પકડી લીધો હતો. આ શખ્સને પાસામાં ધકેલવાની દરખાસ્ત શ્રી અગ્રવાલે મંજુર કરી વડોદરા જેલમાં ધકેલવા હુકમ કરતાં  તેને ત્યાંની જેલમાં મોકલી દેવાયો છે.

પાસા વોરન્ટની બજવણીની આ કામગીરીમાં પીસીબીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા અને ટીમ તથા ભકિતનગરના પી.આઇ. વી. કે. ગઢવી, નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ સહિતે કાર્યવાહી કરી હતી. (૧૪.૧૧)

(1:43 pm IST)