Gujarati News

Gujarati News

News of Thursday, 7th July 2022

સોમનાથ સોસાયટીમાં ગૃહકલેશથી કંટાળી ગૌતમભાઇ જેઠવાનો આપઘાત

પત્‍ની સંતાનોને સ્‍કુલેથી તેડીને આવતા પતિને લટકતા જોઇ દેકારો મચાવ્‍યો

રાજકોટ, તા., ૭: ૧પ૦ ફુટ રીંગ રોડ, ટેલીફોન એક્ષચેન્‍જ સામે આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા યુવાને ગૃહકલેશથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

મળતી વિગત મુજબ સોમનાથ સોસાયટી શેરી નં. ૩ માં રહેતા ગૌતમભાઇ મોહનભાઇ જેઠવા (ઉ.વ.૩૪) એ સવારે પોતાના ઘરે રૂમમાં પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પત્‍ની બે પુત્રને સ્‍કુલેથી તેડીને ઘરે આવતા પતિને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્‍થળ પર પહોંચી તપાસ કરતા ગૌતમભાઇનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ આર.એસ.પરમાર તથા રાઇટર રોહતસિંહે  સ્‍થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક ગૌતમભાઇ ઘરે જ દરજી કામ કરતા હતા. તેણે ગૃહકલેશથી કંટાળી આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્‍યું છે. બે પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરીવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(4:24 pm IST)