Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

આજીડેમ ચોકડી પાસે બ્રિજની દિવાલ તૂટતા બે વ્યકિતના મૃત્યુ કેસમાં હાઇવે કન્સલ્ટન્ટના આગોતરા જામીન મંજુર

જુન-ર૦ર૦ના બનાવ બાદ હજુ પણ પુલની દિવાલ જેમની તેમ ક્ષતિગ્રસ્ત દિવાલ ઠીક કરવા કલેકટર અને એન. એચ.એ. આઇ.ને અદાલતની ટકોર

રાજકોટ તા.૦૭ : રાજકોટના આજીડેમ ચોકડી-ગોંડલ તરફ જતા હાઈવે પર બ્રિજની દિવાલ ધસી પડતા બે લોકોના મૃત્ય  થવાના કિસ્સામાં નોંધાયેલ સાપરાધ મનુૃષ્ય વધની ફરીયાદમાં એન.એચ.એ. આઈ.ના મખ્ય કન્સલ્ટન્ટના  આગોતરા જામીન સેશન્સ અદાલત દ્દારા મંજુર કરવામાં આવેલ છે.   

આ કેસની હકીકત એવી છે કે, એન.એચ.એ.આઈ. (નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયા) ના  પ્રોજેકટ ડિરેકટર શ્રી પંકજકુમાર રોયનાઓએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરીયાદમાં જણાવેલ હત  કે ગુન્હાહિત કૃત્ય માટે આરોપીઓએ એકબીજાને મદદગારી કરી આજીડેમ ચોકડી રાજકોટથી ગોંડલ ચોકડી  રાજકોટ તરફ જતા સર્વિસ રોડની દિવાલની ડીઝાઈન અસુરક્ષીત અને ખામીયુકત રીતે તેયાર કરી દિવાલના  બાંધકામમાં નબળી ગણવતાના મટીરીયલનો ઉપયોગ કરી યોગ્ય રીતે બાંધકામ નહી કરી તેમજ સમયાંતરે  દિવાલને યોગ્ય રીતે સમારકામ પણ નહી કરી જેનાથી ભવિષ્યમાં આ દિવાલ પડી જાય અને કોઈ મોટી દુર્ધટના  સર્જાય અને તેનાથી માણસોના મોત નિપજે તેવી જાણકારી હોવા છતાં ઓવરબ્રિજની દિવાલનુંં નબળા પ્રકારની  હલ્કી ગણવતાનંુ ક્ષતિવાળ બાંધકામ અને ડીઝાઈન તેયાર કરેલ જેનાથી આ દિવાલ પડી જવાના કારણે (૧)  વિજયભાઈ કરણભાઈ વિરડા અને (૨ર) ભૂપતભાઈ નાથાભાઈ મીયાત્રાનાઓના મૃત્યુ નિપજતા સાપરાધ  મનુષ્યવધ માટે તમામ લોકોને જવાબદારી ગણી ફરીયાદ દાખલ કરાવેલ હતી જે ફરીયાદના કામે તપાસ  દરમ્યાન એન.એચ.એ.આઈ. વતી બાંધકામ કરનાર સાંઈ કન્સલ્ટન્ટ કંપનીમાં એન.એચ.એ.આઈ. દ્દારા  મકવામાં આવેલ સ્વતંત્ર એકસપર્ટ કન્સલ્ટન્ટ કરણી નારાયણ માથર રહે. જયપર, રાજસ્થાન કે જેઓએ સમગ્ર  પ્રોજેકટ અને બાંધકામ પૂર્ણ થયાને ફાઈનલ કમ્પલીશન સર્ટીફીકેટ આપેલ હોય અને આવે સર્ટીફીકેટ આપતા  પહેલા કોઈપણ પ્રકારની યોગ્ય ચકાસણી કે ડીઝાઈન ચેક કરેલ ન હોવાથી દિવાલ પડી ગયેલ હોવાનંુ જણાવી  પોલીસ દારા આરોપીની અટક કરવાની તજવીજ કરાતા આરોપી કન્સલ્ટન્ટ કે. એન.માથરે તેમના એડવોકેટ  તુષાર ગોકાણી મારફતે રાજકોટની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન મેળવવા અરજી દાખલ કરેલ હતી.

બંન્ને પક્ષકારોની દ્રારા કરાયેલ રજૂઆતોના અંતે આરોપી તરફે થયેલ દલીલો સાથે સહમતી દર્શાવી  સરકાર દ્દારા નિમાયેલ કમિટી ઉચ્ચ સ્તરીય કમિટીના રીપોર્ટ મજબ પણ દિવાસ ધસી પડવાની ઘટના માત્ર  બાંધકામ જ નહી પરંતુ ત્યારબાદ કુદરતના સામાન્ય ક્રમમાં થતાં ફેરફારો તેમજ અપરતા મેઈન્ટેનન્સ વિગેરે  કારણોસર દિવાલ ક્ષતિગ્રસ્ત થયેલ હોવાનં જણાવેલ હોય ત્યારે ખદ ફરીયાદ પક્ષ પણ દિવાલ પડવાને ચોકકસ કારણ બતાવી શકત નથી તેથી આરોપીના આગોતરા જામીન મંજુર કરેલ હતા.   

અત્રે ઉલ્લેખનીય છે કે અદાલતે ઉપરોકત આગોતરા જામીનના હુકમમાં એન.એચ.એ.આઈ. દ્દારા  આજની તારીખે પણ બ્રિજ તથા ક્ષતિગ્રસ્ત ભાગ સંપૂર્ણપણે રીપેર કરાવ્યા વિના હાઈવે ચાલુ રાખેલ હોવાની  ગંભીર નોંધ લઈ દિવાલ ધસી પડવાના કારણે બે નિર્દોષ વ્યકિતઓના મૃત્યુ થયેલ હોવા છતાં આજદિન સુધી એન.એચ.એ.આઈ. એ સરકાર દ્વારા ક્ષતીગ્રસ્ત દિવાલની કોઈ યોગ્ય મરામત કરવામાં આવેલ ન હોય ત્યાંથી  પસાર થતા વાહનો અને જાહેર જનતા માટે ક્ષતિગ્રસ્ત ભાગ ખુબ જ ગંભીર હોય અને ફરી વખત અકસ્માત સર્જાવાની શક્યતા હોવાન જણાવી સામાન્ય જનતાની સલામતી તે સરકારી મખ્ય જવાબદારી છે તેમ ઠરાવી  એન.એચ.એ.આઈ. તથા કલેકટરશ્રીને ઉપરોકત ક્ષતિગ્રસ્ત ભાગ તાત્કાલીક ક્ષતિગ્રસ્ત કરવા ટકોર કરેલ છે.  અને હુકમની નકલ એન.એચ.એ.આઈ. ના ડિરેકટર તથા રાજકોટના કલેકટરશ્રીને યોગ્ય કાર્યવાહી કરવા  મોકલવામાં આવેલ છે.   

આ કામમાં કન્સલ્ટન્ટ કરણી માથુર વતી  એડવોકેટ શ્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ  પટેલ, હાર્દિક શેઠ, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, કૃણાલ વિંધાણી,ઈશાન ભટ્ટ, વિરમ ધરાંગીયા રોકાયેલ  છે.

(1:05 pm IST)