Gujarati News

Gujarati News

News of Wednesday, 7th July 2021

નવાગામ આણંદપરમાં કામેથી ઘરે આવ્યા બાદ બીજા માળેથી પડી ગયાઃ દિનેશભાઇનું મોત

રાજકોટ તા. ૭: નવાગામ આણંદપરમાં રહેતાં દિનેશભાઇ મેરામભાઇ ઝીંઝુવાડીયા  (ઉ.વ.૪૫) સાંજે ઘરના બીજા માળની અગાસી પરથી પડી જતાં ગંભીર ઇજા થતાં તેમજ પડખામાં લોખંડના ખાટલાનો પાયો લાગી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ જીવ બચી શકયો નહોતો.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઇ ચાર ભાઇમાં મોટા. તે છુટક કડીયા કામ કરતાં હતાં. સાંજે કામેથી છુટીને ઘરે આવ્યા હતાં અને બીજા માળે અગાસીએ આટો મારવા ગયા ત્યારે પાળી પાસે ચક્કર આવતાં પડી જતાં ઇજાઓ થઇ હતી. લોખંડનો ખાટલો પડ્યો હોઇ તેનો પાયો પણ પડખામાં લાગી જતાં વધુ લોહી વહી ગયું હતું અને સારવાર કારગત નિવડી નહોતી. બનાવને પગલે કોળી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(10:58 am IST)