Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

રાજકોટના 2 દરબાર અને 1 કળીયા યુવાનો પાણીના પૂરમાં તણાયા : રાજકોટના સંજય ટાંકનો મૃતદેહ મળી આવ્યો : બંને દરબાર યુવાનો અને ક્રેટા મોટરનો કોઈ પત્તો નથી: સવારે શોધખોળ થશે

રાજકોટ : જામનગર હાઇવે ઉપર પડધરીના રંગપર પાસે બોડી-ઘોડીના બેઠા પુલ ઉપરથી ક્રેટા મોટર પૂરના પાણીમાં ખેંચાય જતા રાજકોટના રાજકોટના 2 દરબાર અને 1 કળીયા યુવાનો તણાય ગયા હતા. તેમાંથી સંજય જગદીશભાઈ ટાંક નામના કડિયા પરિવારના યુવકનો મૃતદેહ ખજૂરડા પાસેથી મળી આવ્યો છે, જ્યારે લક્ષ્મીવાડીમા રહેતા રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા અને બળવંતસિંહ લખુભા જાડેજાનો મોડી રાત સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

રાત્રીના અંધારામાં શોધખોળ શક્ય ન હોય હવે ફાયરબ્રિગેડ દ્વારા સવારે કાર્યવાહી હાથ ધરાશે. પડધરી પીએસઆઇ મહાવીરસિંહ પરમાર અને સ્ટાફ ક્રેટા મોટર અને બંને દરબાર યુવાનની શોધ કરી રહયા છે.

(10:28 pm IST)