Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

ખેડૂતો જ કહેશે ગુજરાતમાં સોનાનો સુરજ ઉગ્યોઃ ધારી બેઠકમાં કોકીલાબેન શ્રેષ્ઠ ઉમેદવાર

પેટાચૂંટણીની તમામ બેઠકો ભાજપને જ મળશેઃ પૃથ્વીસિંહ જાડેજા

રાજકોટઃ સારો વરસાદ પડતાં ગુજરાતમાં ખુશીનો માહોલ છવાયો છે. આગામી સમયમાં ખેડૂતો જ કહેશે કે ગુજરાતમાં સોનાનો સુરજ ઉગ્યો છે. તેમ સામાજીક અગ્રણી અને ભાજપના આગેવાન શ્રી પૃથ્વીસિંહ જાડેજા (બાવા)એ જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે સૌરાષ્ટ્ર- ગુજરાતમાં સિઝનના શરૂઆતમાં ભાગમાં અઢળક વરસાદ પડયો છે. આવનારા દિવસોમાં ગુજરાતમાં ખેડૂતો જ કહેશે સોનાનો સૂરજ ઉગ્યો છે. આ સિઝન પણ ગત વર્ષેની  સિઝન કરતા ઘણી સારી રહેશે. કોરોનાની હાડમારીમાં ગુજરાત ચિપાય રહ્યું છે. પરંતુ આગામી દિવસોમાં આ મહામારી ઘટાડો આવશે.

પૃથ્વીસિંહે વધુમાં કહેલ કે આગામી દિવસોમાં ૮ વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે. તેમા પણ તમામ બેઠકો ઉપર ભાજપનો જ વિજય થવાનો છે એ નકકી  જ છે.

જયારે અમરેલી જિલ્લામાં શ્રી દિલીપ સંઘાણી, શ્રી પરષોતમભાઈ રૂપાલા, શ્રી મનસુખભાઈ માંડવીયા સહિત ટોચના ભાજપના આગેવાનો છે. ધારી બગસરા બેઠકમાં શ્રી જે.વી. કાકડીયાના ધર્મપત્ની કોકીલાબેન શ્રેષ્ઠ ઉમેદવાર હોવાનું શ્રી પૃથ્વીસિંહ જાડેજા (બાવા) (મો.૯૯૯૮૫ ૫૦૧૯૦)એ અંતમાં જણાવ્યું છે.

(4:12 pm IST)