Gujarati News

Gujarati News

News of Saturday, 7th July 2018

વોર્ડ નં.૧૦માં કડવા પાટીદાર આગેવાનો સાથે બિનાબેન આચાર્ય દ્વારા સંપર્ક- બેઠક યોજાઇ

રાજકોટ : દેશ અને રાજયમાં ભારતીય જનતા પક્ષ દ્વારા થઇ રહેલ કામગીરી તેમજ સોૈનો સાથ સોૈનો વિકાસના સુત્ર સાથે વિકાસના કામોમાં આગળ વધી રહ્યા છે જેના ભાગરૂપે રાજકોટ ભારતીય જનતા પાર્ટી દ્વારા 'સંપર્ક સમર્થન' અભિયાન શરૂ કરેલ છે. જેના અનુસંધાને ગઇકાલ તા.૦૬ ના રોજ મેયર બિનાબેન આચાર્યની અધ્યક્ષતામાં વોર્ડ નં.-૧૦માં આલીશાન એપાર્ટમેન્ટમાં રહેતા પટેલ સમાજના અગ્રણી નાથાભાઇ કાલરીયાના પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત કરેલ અને ભારતીય જનતા પક્ષના કામગીરી અને વિચારોની આપ લે કરવામાં આવેલ. આ સંપર્ક સમર્થનમાં પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ હુંબલ, વોર્ડ નં.૧૦ ના પ્રમુખ રજનીભાઇ ગોલ ઉપસ્થિત રહેલ

આ સંપર્ક સમર્થનમાં નાથાભાઇ કાલરીયા જણાવે છે કે ભારતીય જનતા પાર્ટી તમામ સમાજના હિતમા ંજુદા જુદા નિર્ણયો કરી રહેલ છે. ગુજરાત વિકાસની દિશા તરફ ખુબજ આગળ વધી રહેલ છે તેમ જણાવેલ

(4:32 pm IST)