Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

નાલંદા ઉપાશ્રયમાં સોનલ સદાવ્રત સમારોહ યોજાયો

રાજકોટ,તા. ૭ :  ગોં. સં-નાં સૌરાષ્ટ્ર ના સિંહણ વચન સિધ્ધીકા , તીર્થ સ્વરૂપા , ભગવાન તુલ્ય પુ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજી તીથૅધામ  (નાલંદા ઉપાશ્રય)માં આજે સવારે સોનલ સદાવ્રત સમારોહ (સાધર્મિક  જૈનબંધુઓ માટે માનવરાહત)  સમ્પન્ન થયેલ.જેમાં સાધર્મિક બંધુઓને જીવન જરૂરિયાતની વિવિધ વસ્તુઓની રાશન કીટ , મસાલાવાળી છાશનું વિતરણ કરાયું. તેમજ રીનાબેન જીતુભાઈ બેનાણી તરફથી રૂ.૧૦૦ ની પ્રભાવના પણ કરવામાં આવી હતી. આજના દાતાશ્રી દાન રત્ના શારદાબેન મોદી, દાનવીર શ્રેસ્ટીવર્યશ્રી જય અંબે સેવા મંડળ, રીનાબેન જીતુભાઈ બેનાણી, રાજુભાઈ મોદી લલિતભાઈ મોદી  તેમજ આશિષભાઈ શાહ હતા. આજનું વિતરણ પ્રફૂલાબેન મોદીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે નીલેશભાઈ શાહ ,જયેશભાઈ માવાણી, જયેશભાઈ સંઘાણી, પ્રદીપભાઈ માવાણી, ભૌમિક શાહ, પ્રફુલા બેન, સોનલ સેવા ટીમ જંકશન જેમાં રાજુભાઈ મોદી ચિરાગભાઈ કોઠારી, પારસ ભાઈ કાનમેરિયા, દીપેન ભાઈ મહેતા તેમજ ઉર્વીબેન વોરા , સ્મિતાબેન માવાણીએ સેવા બજાવી. હવે પછીનું વિતરણ પૂ. મોટા સ્વામીની ૯મી પુણ્ય તીથી પ્રસંગે તા. ૭/૭ ના રોજ ભવ્યાતી ભવ્ય વિતરણ કરવામાં આવશે.

(3:02 pm IST)