Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

જીલ્લાના ઉદ્યોગકારો - વિવેકાનંદ કેન્દ્રો - નહેરૂ યુવા મંડળ સાથે કલેકટરની બેઠકઃ રસીકરણ માટે ખાસ કેમ્પ

રાજકોટ તા. ૭: રાજકોટ જીલ્લાના ઉદ્યોગકારો-૪પ૦ જેટલી વિવેકાનંદ કેન્દ્રો અને નહેરૂ યુવા મંડળના આગેવાનો સાથે આજે બપોરે ૧ વાગ્યાથી રાજકોટ જીલ્લા કલેકટરે રસીકરણ બેગ અંગે ખાસ ઝુંબેશ રાખી છે.

આ અંગે એડીશ્નલ કલેકટરશ્રી પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે ઉદ્યોગકારોના કામદારો ઉપરાંત જીલ્લાની ૪પ૦ જેટલા વિવેકાનંદ કેન્દ્રોના ૪પ૦૦ જેટલા મેમ્બરો છે, તે તમામનું રસીકરણ તથા નહેરૂ યુવા મંડળના સભ્યોનું રસીકરણ માટે જીલ્લામાં અલગથી જે તે તાલુકામાં ખાસ કેમ્પો કરાશે, અને આ લોકોના વેકસીન બાદ તે તમામને પણ ગામડાઓમાં જઇ રસીકરણ માટે લોકોને સમજાવવા અંગેની કાર્યવાહી કરાશે.

(2:59 pm IST)