Gujarati News

Gujarati News

News of Sunday, 7th June 2020

અમદાવાદ-સુરતનો ટ્રાફીક વધતા કાલથી વધુ ત્રણ નવા રૂટ શરૂ કરશેઃ રાજકોટ એસટી ડેપોઃ ટાઇમ ટેબલ જાહેર

રાજકોટ એસટી ડેપો મેનેજર શ્રી નીશાંત વરમોરાએ 'અકિલા'ને જણાવેલ કે રાજકોટથી અમદાવાદ અને સુરતનો ટ્રાફીક  વધતા અને ૯ તારીખ સુધી કુલ રીઝર્વેશન હોય કાલથી અમદાવાદ- સુરત માટે વધુ ૩ નવા રૂટ શરૂ કરાશે. જેનું ટાઇમ ટેબલ પણ ચાલુ કરાયા છે જેમાં કાલે સવારે ૮ વાગ્યે રાજકોટ-સુરત અને બપોરે ર.૧પ તથા ૩.૩૦ વાગ્યે રાજકોટ-અમદાવાદ બસ ઉપડશેઃ આ ઉપરાંત સોમવારથી સવારે ૮ વાગ્યે રાજકોટ-સુરત અને સવારે ૭ થી ૭.૩૦ કલાકે રાજકોટ-અમદાવાદ વચ્ચે વધુ ત્રણ રૂટ દોડવા માંડશે.

(3:26 pm IST)