Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

શ્રી મણિયાર દેરાસરજી એ કાલે આ.ભ. શ્રી નરદેવસાગર સુરીશ્વરજી મ.સા.ની પધરામણીઃ સ્વાગત-સામૈયુ

 રાજકોટઃ તા.૭,  કાલે શુક્રવારના રોજ સવારે ૬:૩૦ વાગ્યે સાગર સમુદાયના ગચ્છાધિપતિ શ્રી દેવેન્દ્રસાગરસુરીશ્વરજી મ.સા.ના પટ્ટશિષ્ય મહાન જયોતિષાચાર્ય વચનસિધ્ધ મહાપુરૂષ પ.પૂ. આચાર્ય દેવશ્રી નરદેવસાગરસુરીશ્વરજી મ.સા. આદિઠાણા, શ્રી સંઘની વિનંતીને માન આપી પધારી રહયા છે.

 પૂજયશ્રીનું સ્વાગત સામૈયું ચાણ્કય એપાર્ટમેન્ટ, શ્રોફ રોડ ખાતેથી સવારે ૬:૩૦ વાગ્યે શરૂ થશે. પૂજયશ્રીએ જામનગર ખાતે૧૫૦ ઉપધાન તપની સામુહિક આરાધના ભવ્યાતિભવ્ય રીતે કરાવેલ છે. તથા હાલના વર્ષમાં જામનગર ખાતે સામુહિક ૪૦ વર્ષીતપની આરાધના પૂજયશ્રીની પ્રેરણાથી ચાલી રહી છે.   પૂજયશ્રીની શ્રી મણિયાર દેરાસજીએ બે દિવસની સ્થીરતા રહેશે. દર્શન વંદનનો લાભ મળશે. પૂજયશ્રીના સ્વાગત સામૈયામાં દરેક શ્રાવક-શ્રાવિકાઓએ પધારવા શ્રીસંઘ તરફથી હાર્દિક આમત્રંણ પાઠવવામાં આવે છે. તેમ દીલીપભાઇ પારેખની યાદી જણાવે છે.

(4:03 pm IST)