Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ દ્વારા રકતદાન કેમ્પ

રાજકોટ : રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય પ્રેરીત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ રાજકોટ સંઘ પરિવારનાં સંયુકત ઉપક્રમે રાજકોટનાં સિવિલ હોસ્પિટલ તેમજ રેડક્રોસ બ્લડ બેન્કનાં લાભાર્થે થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને કોવીડનાં દર્દીઓ માટે જયારે રકતની તાતી જરૂર છે ત્યારે  આર.એસ.એસ. દ્વારા જુદા જુદા વિસ્તારોમાં જઈ રકતદાન કેમ્પો યોજવામાં આવી રહયા છે. આવા ચાર રકતદાન કેમ્પો અનુક્રમે નિર્મળા કોન્વેન્ટ સ્કુલ પાસે, પંચશીલ હોલ દોશી હોસ્પીટલ પાસે, જસરાજનગર, પટેલ સમાજની વાડી-મેોટા મેોવા પાસે કરવામાં આવેલ. જેમાં કુલ ૧૪૩ રકતદાતાઓએ રકતદાન કરેલ. આ રકતદાન કેમ્પમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ કિશોરભાઈ મૂંગલપરા, પ્રાંત વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે, રાજકોટ મહાનગર સંઘચાલક ડો. જીતેન્દ્ર અમલાણી, મહાનગર કાર્યવાહ ડો. આશીષભાઈ શુકલ, મહાનગર સેવાપ્રમુખ ભરતભાઈ કુંવરીયા, કૃષ્ણનગર સંઘચાલક સૂર્યકાંતભાઈ સાંગાણી, વિસ્તાર કાર્યવાહ રાજુભાઈ પરમાર, કનુભાઈ વેકરીયા ઉપસ્થિત રહયા હતા. આ રકતદાન કેમ્પને સફળ બનાવવા રમેશભાઈ રાઠોડ, ભાવેશભાઈ રાયઠઠા, યોગેશભાઈ કોઠીયા, વિમલભાઈ ટાંક, અનીશભાઈ બેચરા, રમણીકભાઈ રાઠોડ, મનનભાઈ મુંગલપરા, વિપુલભાઈ શાહ, કુંજલભાઈ ભંડેરી, અમરીશભાઈ ત્રાંબડીયા, મહેન્દ્રભાઈ જોશી, સચીનભાઈ દોશી, જાગૃતભાઈ ઝીંઝુવાડીયા, સતીષભાઈ ગોહેલ, હીરેનભાઈ શાહ, હીરેનભાઈ રાજયગુરૂ, હર્ષિલભાઈ હરસોડા, અંકીતભાઈ ઝાલા, ધવલભાઈ ભલગામડીયા, ભવ્યભાઈ દવે, હાર્દીકભાઈ ભરડવા, જયેન્દ્રભાઈ પટેલ, વિજયભાઈ વરસોયા, સૂરેશભાઈ સાવલીયા, સૂરેશભાઈ ટંકારીયા, રાજૂભાઈ પરમાર, વિજયભાઈ કોરાટ, વિજયભાઈ વસોયા અને ભરતભાઈ શીંગાળાએ જહેમત ઉઠાવી હતી.

(3:12 pm IST)