Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

વોર્ડ નં.૧માં સેવાયજ્ઞ : આગેવાનોના હસ્તે સુકા નાસ્તાનું વિતરણ

રાજકોટ : શહેરના વોર્ડ નં.૧ના ભાજપ કોર્પોરેટર સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષ વાગડિયાનો માનવ સેવાયજ્ઞ ચાલુ કરવામાં આવ્યો જેમાં  ૫૦૦ ગ્રામ ગાંઠીયા ૫૦૦ ગ્રામ સેવ તથા સકરપારા અને ચવાણુ ને સંસ્થાઓ તથા દાતાશ્રી ઓ દ્વારા ૪ થી ૫ હજાર પેકેટો નું વિતરણ કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ  કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય  ગોવિંદભાઇ પટેલ, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ શ્રી ગઢવી, પીઆઇ શ્રી ગડુ, ગાંધીગ્રામ પોલીસ પી.આઈ ખુમાનસિંહ વાળા, પિન્ટુભાઈ ઝાલા (ખાટડી) કોર્પોરેટર બાબભાઈ, અંજનાબેન મોરજરીયા,દુર્ગાબા જાડેજા તથા વોર્ડ પ્રમુખ  હિતેશભાઈ મારુ મહામંત્રી જયરાજસિંહ જાડેજા, કાનાભાઈ સથવારા તથા ભાજપ ઓબીસીમાં મહામંત્રી લલિતભાઈ વાડોલીયા, વોર્ડ આગેવાન રામભાઇ આહિર, અશોકસિંહ જાડેજા કાળુભાઈ સથવારા ધનજીભાઈ પરમાર, નરેન્દ્રન્સિંહ જાડેજા દિલીપભાઈ બોરીચા, રવિરાજસિંહ જાડેજા,પરેશભાઈ સખીયા, કમલેશભાઈ, શકિતસિંહ જાડેજા, લાલજીભાઇ બારીયા,જયેશભાઈ વોરા, શૈલેષભાઈ ડોડીયા, ચંપક સિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, અનિરૂદ્ઘસિંહ પરમાર, ધીરેનભાઈ રાવળ,વિમલભાઈ મેર,રવિભાઈ મેર મયુર વાવડીયા, રમેશભાઈ વાઘણીયા, કૌશલ કિશોર ધૂન મંડળ દર્શનભાઈ મુલીયાણા, પુનિતભાઈ વાગડિયા મોહનભાઈ વાડોલીયા,દેવેન્દ્રસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાઓ દ્વારા ઘર ઘર સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરી છે આગામી ૧૪ તારીખ સુધી ફૂડ પેકેટો સંસ્થાઓને જ આપી દેવામાં આવશે અને ત્યાંથી જ ગરીબ તથા જરૂરીયાતમંદોને પહોંચાડવામાં આવશે તેમ યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)