Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

હાલ ર૪-રપ તારીખ સુધી એસ.ટી. બંધ એવી કોઇ અમને સુચના નથીઃ ૧૪ તારીખ પછીનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરાયું નથી

રાજકોટ એસ.ટી. ડીવીઝન નિયામક શ્રી યોગેશ  પટેલે 'અકિલા'ને જણાવેલ કે હાલ ર૪-રપ તારીખ સુધી રાજયભરમાં એસ.ટી. સેવા બંધ રહેશે તેવી કોઇ સૂચના આવી નથી : અત્રે એ નોંધનીય છે કે આવી હવા ગઇકાલે બહુ ઉઠી હતી : યોગેશભાઇએ જણાવેલ કે પોતે હેડકવાર્ટરમાં જ છે : ૧૪ તારીખ પછીનું ઓનલાઇન બુકીંગ પણ હજુ  શરૂ કરાયું નથીઃ તમામ સ્ટાફ પણ પોતપોતાના ઘરે છે

(3:39 pm IST)