Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

છાત્રોને સ્‍કોલરશીપ અંગે માળી સમાજ દ્વારા માર્ગદર્શન

રાજકોટઃ અખિલ ભારતીય કચ્‍છ માળી સમાજ શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ માળી સમાજના માર્ગદર્શન હેઠળ ધોરણ ૭, ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્‍કોલરશીપની માહિતી માટેનો સેમીનાર યોજાયેલ. જેમાં શ્રી પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્‍ટના હોદેદારો ભાવેનભાઇ ભટ્ટ, હર્ષદભાઇ પરમાર તેમજ દેવેન્‍દ્રભાઇ પાટણવાડીયા દ્વારા જ્ઞાન પ્રબોધિની પ્રકલ્‍પ તેમજ સુપર-૪૦ પ્રકલ્‍પ હેઠળ મળવાપાત્ર સ્‍કોલરશીપની વિસ્‍તૃત માહિતી આપવામાં આવી હતી.

રાજકોટ માળી સમાજના પ્રમુખ ભાવેશભાઇ રમેશભાઇ સોલંકી અને કારોબારી સભ્‍યો નિલેશભાઇ દેવશીભાઇ પરમાર, પ્રેમજીભાઇ દાનાભાઇ ચૌહાણ, જીતેન્‍દ્રભાઇ નામેરીભાઇ ચૌહાણ તેમજ પરસોતમભાઇ મનજીભાઇ સિસોદીયા દ્વારા સેમીનારને અનુરૂપ પોતાનો વકતવ્‍ય આપી વિદ્યાર્થીઓને પ્રોત્‍સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ ભાવેશભાઇ બલદેવભાઇ સોલંકી તેમજ શિક્ષણ સમિતિના સભ્‍યો દ્વારા કરવામાં આવ્‍યુ હતું

(4:02 pm IST)