Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

અકિલા પરિવાર પરના આઘાતથી સાળંગપુરના સંતોમાં શોકની લાગણી

કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા શ્રધ્ધાસુમન અર્પણ

રાજકોટ, તા., ૭: શ્રીમતી વીણાબેન અજીતભાઇ ગણાત્રાના તા.૩૧-૧-ર૦૩ના રોજ થયેલ દુઃખદ અવસાનના દુઃખદ સમાચાર જાણી અકિલા પરિવાર અને ગણાત્રા પરિવારની સાથોસાથ અત્રેના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર-સાળંગપુરના સમસ્ત સંત મંડળને પણ ઘેરા શોકની લાગણી થાય છે અને તેમની ચીર વિદાયથી અકિલા પરિવાર અને ગણાત્રા પરિવાર ઉપર આવી પડેલ દુઃખને સહન કરવાની શકિત આપે અને સદ્ગતના આત્માને શાંતિ મળે તેમજ ભગવત ચરણમાં સ્થાન મળે તેવી પરમકૃપાળુ પરમાત્માને, વડતાલવાસી શ્રી હરીકૃષ્ણ મહારાજને તેમજ સાળંગપુરમાં સાક્ષાત બિરાજમાન શ્રી કષ્ટભંજનદેવને પુર્ણ ભાવથી પ્રાર્થના કરીઍ છીઍ તેમ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સંસ્થા, સાળંગપુર દ્વારા જણાવાયું છે.

(3:51 pm IST)