Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

વધારતા જયવિર ગોહીલ સીએ ફાઉન્‍ડેશનમાં પ્રથમ પ્રયત્‍ને રાજકોટ ટોપ ૧૦માં સ્‍થાન

સોરઠીયા રજપૂત સમાજનું ગૌરવ

રાજકોટ તા. ૭ : સોરઠીયા રજપૂત સમાજનાં અલ્‍પેશભાઇ બાબુભાઇ ગોહિલ અને શ્રીમતી રેખાબેન એ. ગોહીલનાં પુત્ર જયવિરએ વર્ષ  ર૦રર માં ધો.૧ર કોમર્સમાં ૯૯.૯૧ પી. આર. સાથે પાસ થઇ બોર્ડમાં ૯ મો રેન્‍ક મેળવેલ હતો અને હાલમાં સીએનાં અભ્‍યાસમાં સીએ ફાઉન્‍ડેશન પરીક્ષામાં પ્રથમ પ્રયત્‍ને ૪૦૦ માંથી ૩૧ર માર્કસ મેળવી સમગ્ર રાજકોટમાં ટોપ ૧૦માં સ્‍થાન મેળવી ઝળહળતી સફળતા પ્રાપ્‍ત કરી ગોહીલ પરીવારનુ ગૌરવ વધારેલ છે. જે.કે. શાહ કલાસીસના મૌલીકભાઇ ટોળીયાનું સતત માર્ગદર્શન મળેલ.

આ તકે સોરઠીયા રજપૂત સમાજ-રાજકોટના પ્રમુખ કાર્તિકભાઇ વિજયસિંહ ચૌહાણ, શ્રી સોરઠીયા રાજપૂત યુવા શકિતનાં પ્રમુખ નિલેશભાઇ સોલંકી (સંજય આર્ટ), સોરઠીયા રાજપૂત સમાજનાં મુકુંદભાઇ રાઠોડ, રાવણા રાજપુત યુથ ગુજરાતનાં પ્રદેશ અધ્‍યક્ષ કાનાભાઇ ચૌહાણ, મહા ગુજરાત રજપૂત સમાજ મહામંડળના પૂર્વ પ્રમુખ કિશોરભાઇ એમ.રાઠોડ ઉપરાંત તપોવન સ્‍કુલનાં પુષ્‍કરભાઇ રાવલ અને લાલજીભાઇએ અભિનંદન પાઠવ્‍યા હતા.

 

(3:40 pm IST)