Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા સ્‍વ.વીણાબેન ગણાત્રાને શ્રધ્‍ધાંજલી

રાજકોટઃ શ્રી પુનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા અકિલા તથા ગણાત્રા પરિવારના વીણાબેનને સંતપુનિતના ભજનો થકી શ્રધ્‍ધાંજલી અર્પણ કરવામાં આવેલ. જેમાં જયેશભાઈ નથવાણી, જયશ્રીબેન પુનિતભાઈ- પૂર્વીબેન દ્વારા ભજનના શબ્‍દો કોઈ સદા નહિં રહેવાનું સંસાર મુસાફરી ખાનું છે... ભજન..., સુભાષભાઈ રાજાણી (બ્રોકર) દ્વારા શ્રી રામ જયરામ જયજયરામ ધુન, જયશ્રીબેન જોબનપુત્રા દ્વારા યમુનાજીનો  શ્‍યામ મને લાગે વ્‍હાલો.., ભાવનાબેન એસ. કારેલીયા દ્વારા... મંદિર આયખું ખુટે જે ઘડીએ...., ગીતાબેન રાઠોડ દ્વારા  દિલમાં વિચારી જોજો રે કોણ છે કોનું..., જીતુભાઈ દવે (એડવોકેટ) દ્વારા... રાખના રમકડા મારા રામે..., ભાવનાબેન રૂપારેલીયા (લંડન) દ્વારા જલારામ બાપાનું નામ અમને પ્રાણ પ્‍યારૂ..., ક્રિષ્‍નાબેન જોબનપુત્રા દ્વારા મારી મૈયા મળે તો કહેજો કે..., જયપ્રકાશ બુધ્‍ધદેવ દ્વારા એકલાજ આવ્‍યા મનવા એકલા જવાના..., ગુણવંતભાઈ ઠકકર (અમદાવાદ) બોલો ગોવિંદ માધવ ગિરધારી..., સંગીતાબેન શૈલેષભાઈ સુચક... વિઠલ વિઠલ વિઠલ..., વિજયભાઈ રાચ્‍છ (ગાંધીનગર)... સમય મારો સાધજે વ્‍હાલા... ઉપર મુજબ સભ્‍યો- ભાવિકો દ્વારા ધુન- ભજન દ્વારા સ્‍વ.વિણાબેન ગણાત્રાને હૃદયાંજલી અર્પણ કરવામાં આવેલ.

(3:48 pm IST)